• Home
  • News
  • વલસાડમાં ધોધમાર 10 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
post

ઠેર-ઠેર પાણી જ પાણી, નેત્રંગમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-07-15 12:14:11

વલસાડ: ગુજરાત માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. આજે ધોધમાર 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જ્યારે ભરૂચના નેત્રંગમાં ધોધમાર 5 ઈંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

નેત્રંગ તાલુકામાં આજે સાંબેલાધાર વરસાદ

નેત્રંગ તાલુકામાં આજે સાંબેલાધાર વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બજારોમાં, રસ્તા પર પાણી ભરાયા છે. નેત્રંગ પોલીસ અને મામલતદાર દ્વારા કોઈપણ અઘટિત ઘટના ના ઘટે તે માટે એલર્ટ થયા છે.

અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે

ભરૂચના ટ્રાયબલ નેત્રંગ પંથકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તેમજ નવા નીરની આવક થતા નદી-નાળા છલકાયા હતા. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે.

લુણાવાડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 2 વાગ્યા બાદ વરસેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર, મધવાસ દરવાજા, વરધારી રોડ સહિતના વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post