ચીનમાં કોરોના વાઈરસના કુલ 74 હજાર પોઝિટિવ કેસ નોંધાય છે
બૈજિંગ: કોરોના વાઈરસથી ચીનમાં વધુ 136 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2004 થયો છે. ચીનના હેલ્થ કમિશન રિપોર્ટમાં જણાવ્યા
પ્રમાણે માત્ર હુબેઈ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 132ના મોત થયા છે. ચીનમાં 1749 નવા કેસ નોંધાયા છે જેમાંથી હુબેઈમાં 1963 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 74185 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુરુવારથી ચીનના નાગરિકોને રશિયામાં પ્રવેશ નહીં કરી શકે
રશિયાએ જાહેરાત કરી છે
કે ગુરુવારથી ચીનના નાગરીકો તેના દેશમાં પ્રવેશ કરી શકશે નહીં. કોરોના વાઈરસના
હાહાકારના પગલે રશિયાએ આ નિર્ણય કર્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના
નાગરિકો કામ માટે,
અભ્યાસ માટે કે પ્રવાસ
માટે રશિયમાં આવી શકશે નહીં. આ પ્રતિબંધ હંગામી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા
(WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઉધનોમ ઘેબ્રેયસસે
ચીનની હોસ્પિટલના પ્રમુખ ડો. લિયુ ઝિમિંગનું કોરોના વાઈરસના કારણે મોત થતા દુ:ખ
વ્યક્ત કર્યું છે.
વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા એરફોર્સનું C-17 પ્લેન 20 ફેબ્રુઆરીએ જશે
ચીનના કોરોના વાયરસથી
પ્રભાવિત વુહાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે 20 ફેબ્રુઆરીએ એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન વુહાન જશે. ન્યૂઝ એજન્સીએ
સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી મંગળવારે આપી હતી. આ વિમાનમાં કોરોના વાઈરસથી
પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો હશે. બીજી તરફ જાપાનના યોકોહામા
પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેજ શિપ પર વધુ બે ભારતીયોમાં કોરોના
વાઈરસનું સંક્રમણ જોવા મળ્યુ છે.
જાપાન સ્થિત ભારતીય
દુતાવાસે સોમવારે કહ્યું હતું કે અગાઉ ચાર ભારતીયોમાં કોરોના વાઈરસ સંક્રમણ જોવા
મળ્યું હતું. આ લોકોના આરોગ્યની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે. જહાજ પર કુલ 454 લોકો કોરોનાથી સંક્રમિત છે. બન્ને ભારતીય ક્રુ
મેમ્બર્સના સભ્ય સહિત તમામને ઈલાજ માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.