• Home
  • News
  • અમદાવાદના અનુપમ બ્રિજ પાસે JCBની ટક્કરે દીવાલ ધરાશાયી થતા 3 દટાયા, પિતા-પુત્રીનું કરુણ મોત
post

પિતા-પુત્રી હવા ખાવા બેઠા હતા ત્યારે જ JCBએ દીવાલ સાથે અથડાયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-21 18:16:18

અમદાવાદ: અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા તલાશનગર નજીક JCBની ટક્કરે એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડતાં તેની નીચે 3 લોકો દટાઈ ગયા હતા. જેમાં દીવાલ પાસે ઊભેલા પિતા-પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતું. જે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે.

દીવાલ નીચે દટાતા પિતા-પુત્રી મોતને ભેટ્યા
જાણકારી મુજબ ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહત ખાતે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં JCB મશીનની ટક્કર વાગતા એદ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન દીવાલની પાસે ઉભેલા 3 જેટલા લોકો તેમાં દટાઈ ગયા હતા. જેમાં પિતા-પુત્રીનું કાટમાળમાં દટાઈ જતા થયેલી ઈજાઓથી મોત નિપજ્યું છે.

રોષ ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો
ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ JCB પર પથ્થરમારો કર્યો હતો, જેથી જીવ બચાવવા માટે ચાલક JCB ત્યાં મૂકીને ભાગી ગયો હતો. ઘટનાને પગલે મેયર પણ એલ.જી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post