ઉત્તરપ્રદેશના નોએડામાં બનેલી ગંભીર ઘટના
લખનૌ: ઉત્તરપ્રદેશના નોઈડામાં
પુરઝડપે આવેલી કારે ત્રણ બહેનોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં
એક બહેનનું મોત નિપજ્યું છે, જ્યારે બેની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે
તુરંત હોસ્પિટલ લઈ જવાઈ છે. નોઈડાના સેક્ટર-39માં આવેલ સદરપુર ગામમાં બનેલી ઘટનામાં પોલીસે તપાસ
શરુ કરી છે.
અહેવાલો
અનુસાર મજુરી કરનાર નરેન્દ્ર ત્રણ દિકરીઓ અને પત્ની સાથે સદરપુર ગામમાં રહે છે.
સોમવારે સવારે તેમની ત્રણેય દિકરીઓ માતા સાથે શાકભાજી લેવા ગઈ હતી. માર્કેટમાંથી
નિકળી વખતે પુર ઝડપે આવેલી કારે ત્રણે બાળકીઓને કચળી નાખી.
આ
ઘટનામાં ત્રણે બહેનો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ છે. આમાંથી છ વર્ષની બાળકીનું સારવાર
દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પહોંચી કાર ચાલકની ધરપકડ
કરી તપાસ શરૂ કરી છે.
દારૂના નશામાં ડ્રાઈવર
પોલીસે
જણાવ્યું કે,
સ્વિફ્ટ
કાર ચાલકે સોમવારે છ વર્ષની રિયા, 15 વર્ષની અનુ અને 18 વર્ષની અંકિતાને ટક્કર મારી
ઈજાગ્રસ્ત કરી હતી. ત્રણેય માતા પુષ્પા સાથે માર્કેટમાં ખરીદી કરવા માટે આવી હતી.
સાંજે 5 વાગ્યાની આસપાસ ત્રણેય
પકોડી ખઈ રહી હતી,
ત્યારે
દારૂના નશામાં ધુત કાર ડ્રાઈવરે ત્રણેય બાળકીઓને ટક્કર મારી. ઘટના સમયે ત્રણેયની
માતા થોડી દૂર ઉભી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારની સ્પિડ વધુ પડતી
હોવાથી ત્રણેય કારની અડફેટે આવી ગઈ.