• Home
  • News
  • યવતમાલમાં વેન પુલ પરથી ખાબકી, 8ના મોત; લોકો અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યાં હતા
post

અકસ્માતનો ભોગ બનનારાઓ રવિવારે સંબંધીના અસ્થિનું વિસર્જન કરવા કોઠેશ્વર મંદિર ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:23:11

મુંબઈઃ યવતમાલમાં એક પિકઅપ વેન પુલ નીચે પડી જવાથી 8 લોકોના મોત થયા છે જ્યારે 18 લોકોને ઈજા થઈ છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો કોઠેશ્વર મંદિરમાં સંબંધીની અસ્થિનું વિસર્જન કરવા ગયા હતા. વિધિ પતાવ્યા બાદ તેઓ જોડમોહા પરત ફરી રહ્યાં હતા. ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને વેન ઝાડ સાથે અથડાઈને પુલ પરથી 25 ફીટ નીચે ખાબકી હતી. આ અકસ્માતને નજરે જોનારના જણાવ્યા મુજબ ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. આ સિવાય અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.

 

ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકો મદદ માટે અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા. અાસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હાલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post