• Home
  • News
  • Aamir Khan એ કિરણ રાવને આપ્યા છૂટાછેડા, 15 વર્ષ બાદ પરસ્પર સહમતિથી લીધો નિર્ણય
post

બોલીવુડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા લઇ રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 12:00:28

મુંબઇ: બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ (Kiran Rao) સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા (Divorce) લઇ રહ્યા છે. બંનેએ 28 ડિસેમ્બર 2008ના રોજ લગ્ન કર્યા હતા. 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા પર આમિર (Aamir Khan) અને કિરણ રાવે (Kiran Rao) ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે.

બંનેએ લખ્યું, '15 વર્ષ સાથે વિતાવતી વખતે અમે હસતાં હસતાં ખુશીથી જે પળો વિતાવી છે અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમથી આગળ વધતો રહ્યો. જ્યારે અમે અમારી જીંદગીનો નવો અધ્યાય શરૂ કરીશુ- જોકે પતિ-પત્નીની માફક નહી, પરંતુ કો-પેરેંટ અને એકબીજા માટે પરિવારની માફક હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન કર્યો હતો અને હવે આ અલગ-અલગ રહેવાની વ્યવસ્થામાં સહજ છે. અમે પુત્ર આઝાદ માટે કો-પેરેન્ટ્સ બની રહીશું અને તેનો ઉછેર પણ સાથે જ કરીશું. 

અમે ફિલ્મો અને અમારા પાની ફાઉન્ડેશન ઉપરાંત તે તમામ પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરતા રહીશું જેમાં અમારી રૂચિ રહેશે. અમારા મિત્રો અને પરિવારોનો આભાર જેમણે અમને આ દરમિયાન તેમણે સપોર્ટ કર્યો, તેમના સમર્થન વિના અમે આ નિર્ણય લેવામાં સક્ષમ બની ન શકતા. અમે અમારા શુભચિંતકો પાસે આશા રાખીએ છીએ કે તે અમારી માફક આ છૂટાછેડાને એક અંત નહી, પરંતુ એક નવી સફરની શરૂઆત માફક જુએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post