રાજસ્થાનના નાગૌરમાં બે બસ સામ-સામે અથડાતા 11 લોકોના મોત નીપજ્યાં છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-23 13:46:25
જયપુરઃ રાજસ્થાનના નાગૌરમાં બે બસ સામ-સામે અથડાતા 11 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. આ અકસ્માત વહેલી સવારે 3 વાગ્યે સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.