સરકારે અગાઉ રાજકોષિય ખાધ 3.5% રહેવાની ધારણા મૂકી હતી
નવી દિલ્હી. અમેરિકન રેટિંગ કંપની
ફિચ સોલ્યુશન્સના અંદાજ મુજબ કોરોના વાયરસને કારણે ભારતના અર્થતંત્રને ખરાબ અસર થઇ
છે. એવો અંદાજ છે કે અર્થતંત્રને 9 લાખ કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. ફિચના જણાવ્યા
મુજબ, વર્તમાન સંજોગોમાં
ભારતની નાણાકીય ખાધ 2020-21માં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)
ના 6.2% સુધી પહોંચી શકે છે, જ્યારે સરકારનો અંદાજ 3.5% છે.
મહેસુલી આવકમાં 1% ઘટાડો થવાનો અંદાજ
રિપોર્ટ
અનુસાર, નબળી આર્થિક પ્રવૃત્તિને
કારણે અગાઉના 11.8%ના વિકાસની તુલનામાં 2020-21માં મહેસૂલ આવકમાં 1%નો ઘટાડો થઈ શકે છે.
એજન્સીએ જણાવ્યું હતું કે,
નાણાકીય
વર્ષ 2020-21
માટેનો
વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર અગાઉના 5.4%ના અંદાજની તુલનામાં 4.6% હોવાનો અંદાજ છે. પહેલા
જે મંદી વિશે વાત કરી હતી તે મુજબ 2019- 20માં 9.9% આર્થિક વિકાસના અંદાજો
યોગ્ય લાગે છે. ઘરેલું પરિવહન વિક્ષેપિત થવાને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઇ
છે તે જોતા આવતા સમયમાં અર્થતંત્રને ફટકો પડી શકે છે.
સરકારના ખર્ચમાં 22%નો વધારો થશે
ફિચે
જણાવ્યું હતું કે,
કોરોનાના
કારણે આર્થિક પ્રવૃત્તિને કેટલાક ક્વાર્ટર સુધી અસર થવાની ધારણા છે. આના પર આખા
વર્ષ દરમિયાન વ્યક્તિગત અને કોર્પોરેટ આવકવેરા વસૂલાત પર અસર પડશે. બીજી તરફ, સરકારના કોરોના વાયરસ
સંકટને કારણે ખર્ચ 2020-21માં વધશે કેમકે તે
આર્થિક અને સામાજિક બંને મોરચે પગલાં લઈ રહ્યું છે. ફિચે વધુમાં જણાવ્યું હતું કે
અમારો અંદાજ એ છે કે ઓછી આવક હોવા છતાં ખર્ચમાં 22.2 ટકાનો વધારો થશે.