અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે, તેમણે કોમોડિટી ટ્રેડિંગ સાથે બિઝનેસમેન તરીકેની યાત્રા શરૂ કરી હતી
અદાણી
એન્ટરપ્રાઈઝીસે છેલ્લા આશરે અઢી દાયદા અગાઉ કરવામાં આવેલા પ્રત્યેક એક રૂપિયા પર
રૂપિયા 800થી વધારે વળતર આપ્યુ છે.
આ વાત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જેપી મોર્ગન ઈન્ડિયાના સમ્મેલન ફ્યૂચર ઈન
ફોકસમાં કહી હતી. તેમણે કહ્યું કે સીપોર્ટ્સથી લઈ એરપોર્ટ્સ તથા એનર્જી સેક્ટર
સુધીમાં કારોબાર કરી રહેલી કંપનીના ઈન્ક્યૂબેશન મોડલે 6 લિસ્ટેડ કંપનીનું સર્જન
કર્યું છે. તેમા હજારો લોકોને નોકરી મળી છે અને શેરધારકોના રોકાણના મૂલ્યમાં
અસાધારણ વધારો થયો છે.
તેમણે
કહ્યું કે 1994માં આવેલા અદાણી
એન્ટરપ્રાઈઝીસના પ્રહેલા IPOમાં રોકાણ કરવામાં આવેલા
પ્રત્યેક રૂપિયાએ 800
ગણાથી
વધારે વળતર આપ્યુ છે. 58
વર્ષિય
અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. તેમણે કોમોડિટી ટ્રેડિંગ સાથે કારોબારી જીવનની શરૂઆત કરી
હતી.
છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક 35 ટકા વિકાસ દર
છેલ્લા
10 વર્ષમાં અદાણી ગ્રુપનો
વિકાસ વાર્ષિક 35
ટકા
દરથી રહ્યો છે. આજે અદાણી સમૂહ દેશનું સૌથી મોટા સીપોર્ટ ઓપરેટર અને સૌથી મોટા
પ્રાઈવેટ એરપોર્ટ ડેવલપર છે. ગ્રુપનો કારોબાર એનર્જી, માઈનિંગ, ગેસ, રિન્યુએબલ્સ, એરોસ્પેસ, ડિફેન્સ, લોજિસ્ટીક્સ, ગેસ ડિસ્ટ્રીબ્યુશન તથા
એગ્રો-કોમોડિટીઝ જેવા સેક્ટરોમાં ફેલાયેલો છે.
અદાણી એન્ટરપ્રાઈસિસના
શેરોનું 25
નવેમ્બર
1994ના રોજ રૂપિયા 360ના ભાવથી લિસ્ટીંગ થયુ
હતુ
બોમ્બે
સ્ટોક એક્સચેન્જ (BSE)
પાસેથી
મળેલી માહિતી પ્રમાણે અદાણી એન્ટરપ્રાઈસિસ 25 નવેમ્બર 1994ના રોજ શેરબજારમાં
લિસ્ટીંગ થયુ હતું. તે દિવસે કંપનીના શેર BSE પર રૂપિયા 360 પર ખુલ્યો હતો અને
રૂપિયા 375
પર
બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન શેરે ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 400 અને ઈન્ટ્રા-ડે લો
રૂપિયા 360
સપાટી
બનાવી હતી.
છેલ્લા અઢી દાયકામાં
નીચામાં રૂપિયા 47 અને ઉપરમાં રૂપિયા 1,335ના સપાટી સ્પર્શી
લિસ્ટીંગ
થયા બાદથી કંપનીના શેરોએ વર્ષ 2006માં રૂપિયા 46ના નીચલા સ્તર અને વર્ષ 2008માં રૂપિયા 1,335 સપાટીને સ્પર્શી ગયો
હતો. વર્ષ 2007ના અંતમાં તે શેરદીઠ
રૂપિયા 1,148.90
પર
બંધ રહ્યો હતો. જે તે વર્ષનો સૌથી ઉપરનો બંધ ભાવ હતો.