મેડિકલ સુપરિટેન્ડેન્ટે કહ્યું-જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચુક્યુ હતુ
શ્રીનગર
જિલ્લાના હવલ વિસ્તારમાં ગુરુવારે સાંજે શંકાસ્પદ આતંકવાદીઓએ એડવોકેટ બાબર કાદરીની
ગોળી મારી હત્યા કરી હતી. એક સિનિયર પોલીસ અધિકારના મતે બાબર કાદરીનું મૃત્યુ થયુ
છે.
અધિકારીના
જણાવ્યા પ્રમાણે બાબરને હુમલા બાદ SKIMS હોસ્પિટલ લઈ
જવામાં આવ્યો હતો. મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો.ફારુક જાને તેને મૃત જાહેર કર્યો હતો.
તેમણે કહ્યું કે જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચુક્યુ
હતું. બાબત કાદરી એક વકીલ, પેનલિસ્ટ, ડિબેટર અને એક લેખક પણ હતા.
લાઈવ ડિબેટમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા
વર્ષ 2018માં રિપબ્લિક ટીવી પર લાઈવ ડિબેટમાં કાદરીએ દેશ વિરોધી
સૂત્રોચ્ચાર લગાવ્યા હતા, ત્યારબાદ ટીવી એન્કર ઉડળી ઉઠ્યા હતા અને કાદરીને તાત્કાલિક
શોમાંથી જતા રહેવા કહ્યું હતું. આ શોમાં પાકિસ્તાન તરફથી સતત થતા સંઘર્ષ વિરામ
ઉલ્લંઘન અંગે ચર્ચા ચાલતી હતી.