• Home
  • News
  • સુશાંત સિંહ રાજપૂત બાદ 16 વર્ષીય ટિકટોકર સિયા કક્કરે આત્મહત્યા કરી
post

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સિયાના અવસાનના ન્યૂઝ શૅર કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:57:17

મુંબઈ:સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હવે માત્ર 16 વર્ષની ટિક ટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી હતી. સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે, મોત પહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી. 


ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
સિયા અંગે સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા પ્રમાણે, તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. તેણે અહીંયા જ આત્મહત્યા કરી હતી. સિયાના ટિકટોક પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હતાં. ઈન્સ્ટાગ્રામ પર તેને એક લાખથી વધુ યુઝર્સ ફોલો કરતાં હતાં.

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ન્યૂઝ શૅર કર્યાં
ફોટોગ્રાફર વિર ભાયાણીએ સિયાના અવસાનના ન્યૂઝ શૅર કર્યાં હતાં. સિયાએ આત્મહત્યા પહેલાં સાંજે ચાર-પાંચ વાગે પોતાનો એક વીડિયો ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સિયા શરાબી તેરી..ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સિયાએ આ વીડિયો પાંચ દિવસ પહેલાં બનાવ્યો હતો અને ઈન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો. સિયાએ મોડી રાત્રે ઘરમાં આત્મહત્યા કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post