• Home
  • News
  • ઝાયરાની રાહ પર સના:એક્ટ્રેસ સના ખાને પણ ધર્મના નામે બોલિવૂડ છોડ્યું, કહ્યું- ધર્મ જ કહે છે કે મૃત્યુ પછી શું બનીશ, આ જિંદગી મૃત્યુ પછીની જિંદગીને સુધારવા માટે છે
post

ફેબ્રુઆરી 2020માં બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ થયું હતું, સોશિયલ મીડિયા પર જ સિક્રેટ જાહેર કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 10:24:28

'બિગ બોસ 6', 'જય હો'માં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સના ખાને ઝાયરા વસીમનો માર્ગ પકડી લીધો છે. સનાએ શો બિઝનેસ છોડી દીધો છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા મારફત શેર કરી. સનાએ લાંબી પોસ્ટ મારતે લખ્યું કે તે માનવતાની સેવા કરશે અને પોતાના નિર્માતા એટલે કે અલ્લાહના આદેશનું પાલન કરશે.

ત્રણ ભાષામાં પોસ્ટ કરી
સનાએ આ પોસ્ટ રોમન, અંગ્રેજી અને અરબીમાં લખી છે. તેણે લખ્યું છે કે 'ભાઈઓ તથા બહેનો, આજે હું મારી જિંદગીના એક મહત્ત્વના પડાવ પર તમારી સાથે વાત કરી રહી છે. હું વર્ષોથી શો બિઝની જિંદગી જીવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો ફેમ, ઈજ્જત અને પૈસો મારા ફેન્સ પાસેથી નસીબ થયો જેના માટે હું આભારી છું, પરંતુ હવે થોડા દિવસથી એ વિચાર મારા પર હાવી થઈ ગયો છે કે માણસનો દુનિયામાં આવવાનો હેતુ શું માત્ર એ જ છે કે તે પૈસા અને નામ કમાય? શું તેની આ જવાબદારી નથી કે તે પોતાની જિંદગી તે લોકોની સેવામાં પસાર કરે જે નિરાધાર અને નિઃસહાય છે?

 

શું માણસે એ ન વિચારવું જોઈએ કે તેનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે? અને મૃત્યુ બાદ તે શું બનવાના છે? આ બે સવાલના જવાબ, હું ઘણા સમયથી શોધી રહી છું. ખાસ કરીને આ બીજા સવાલનો જવાબ કે મર્યા પછી મારું શું થશે. આ સવાલનો જવાબ મેં જ્યારે મારા ધર્મમાં શોધ્યો તો મને ખબર પડી કે દુનિયાની આ જિંદગી હકીકતમાં મર્યા પછીની જિંદગીને બેટર બનાવવા માટે છે અને એ આનાથી સારી હશે.

માટે આજે હું આ જાહેર કરું છું કે આજથી હું મારી શો બિઝ લાઈફ છોડીને માણસાઈની સેવા અને મને પેદા કરનારાના હુકમ પર ચાલવાનો નિર્ણય લઉં છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તેઓ મને શો બિઝના કોઈપણ કામ માટે આમંત્રણ ન આપે. ખૂબ ખૂબ આભાર.

સના અને ઝાયરામાં આ માટે સમાનતા
સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ઘણી હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં દેખાઈ હતી. ત્યાર બાદ તે બિગ બોસ અને ફીઅર ફેક્ટર જેવા રિયાલિટી શોમાં પણ સામેલ થઇ હતી.

સના પહેલાં 'દંગલ' ફેમ ઝાયરા વસીમે પણ જૂન 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે. આ માટે તેણે પણ ધર્મને જ કારણ ગણાવ્યું હતું.

ફેબ્રુઆરી 2020માં સનાનું બ્રેકઅપ થયું હતું
સના ખાને આ જ વર્ષની શરૂઆતમાં કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસના બ્રેકઅપ બાદ આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે હવે તેણે તેના અકાઉન્ટ પરથી બધી જૂની પોસ્ટ ડિલિટ કરી નાખી છે. સનાએ 12 ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના બ્રેકઅપ વિશે જણાવતાં મેલ્વિન પર આરોપ લગાવ્યો હતો કે તેણે એક બાળકીને પ્રેગ્નન્ટ કરી હતી.

સના અને મેલ્વિન વર્ષ 2018માં મળ્યાં હતાં. બંનેએ ગયા વર્ષે વેલેન્ટાઈન્સ ડે પર તેમના રિલેશનશિપના ન્યૂઝને કન્ફર્મ કર્યા હતા. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે ફોટોઝ શેર કરતાં હતાં અને ફેન્સે તેમનો પ્રેમ વરસાવ્યો હતો.

ડિપ્રેશનનો ભોગ બની હતી
સના ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રેકઅપ બાદ તે ડિપ્રેશન તથા એન્ગ્ઝાઈટીનો શિકાર બની હતી. આટલું જ નહીં, 20 દિવસ સુધી ઊંઘની ગોળી ખાઈને તે સૂતી હતી. તેણે બ્રેકઅપ પાછળનું કારણ આપતાં કહ્યું હતું કે મેલ્વિને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

'બિગ બોસ 6'માં લિપ કિસને કારણે વિવાદ ઊભો થયો હતો

સના ખાને સલમાન ખાનના વિવાદાસ્પદ શો 'બિગ બોસ 6'માં ભાગ લીધો હતો. ઘરમાં ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયા સાથે સના ખાનની ખાસ મિત્ર હતી. સના તથા આશ્કાએ ઘરમાં બ્લેન્કેટની અંદર લિપ કિસ કરી હતી. આ વાતનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. સના તથા આશ્કા વચ્ચે કંઈક હોવાની ચર્ચા ે સમયે થતી હતી. જોકે ઘરમાંથી બહાર આવ્યા બાદ IANS સાથેની વાતચીતમાં સના ખાને કહ્યું હતું કે યુવકો બાદ તેનું નામ યુવતીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. તેને ખ્યાલ નથી કે આવું કેવી રીતે બન્યું. તેનું નામ આશ્કા સાથે સાથે જોડાયું. તેના માટે આશ્કા મોટી બહેન જેવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post