રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય રિયલ એસ્ટેટ સેકટરમાં છવાયેલી મંદી પર ફરીથી સરકારને ચેતવી છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 14:20:56
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના પૂર્વ
ગવર્નર રઘુરામ રાજને ભારતીય રિયલ એસ્ટેટ સેકટરમાં છવાયેલી મંદી પર ફરીથી સરકારને
ચેતવી છે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આર્થિક સુસ્તીના કારણે રિયલ
એસ્ટેટ સેકટર પર ખૂબ જ દબાણ છે. જો હવે યોગ્ય પગલા ભરવામાં આવશે નહિ તો દેશને
ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસ દર
બીજા ત્રિમાસિકમાં ઘટીને 4.5 ટકા પર પહોંચી
ચૂક્યો છે.બેરોજગારીની સમસ્યા વિકરાળ રૂપ લઈ રહી છે.NBFCs લોન આપે તેવી હાલતમાં રહી નથી.બેડ
લોનનું પ્રમાણ વધી રહ્યું છે.