• Home
  • News
  • હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર
post

તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-06 10:54:49

હૈદરાબાદઃ તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝ તરફ જઈ રહી હતી, જ્યાં તેમણે વેટરનરી ડોક્ટર પર કેરોસીન છાંટીને સળગાવી હતી. પુછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ પોલીસના હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેમણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. આત્મરક્ષામાં પોલીસે આ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ચારેય આરોપીઓના મોત થયા હતા. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે જણાવ્યું કે ચારેય આરોપીઓ શુક્રવારે સવારે 3થી 6 વચ્ચે શાદનગર સ્થિત ચતનપલ્લીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

એન્કાઉન્ટરના એક સમાચાર મળ્યા બાદ પીડિતના પિતાએ કહ્યું કે, અમારી દીકરીને મર્યાના 10 દિવસ થઈ ગયા છે. સાથે જ પીડિતાની બહેને કહ્યું કે, આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. હવે આ તમામ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થશે, મને આશા છે કે આગળ આ પ્રકારની ઘટના નહીં બને. હું પોલીસ અને તેલંગાણા સરકારનો આભાર માનું છું.

હૈદરાબાદમાં 27 નવેમ્બરે ટુ-વ્હીલરનું ટાયર પંચર થતા ટોલ પ્લાઝા પાસે રાહ જોઈ રહેલી 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ હતું. આરિફની ઉમર 26 વર્ષ હતી, જ્યારે અન્ય આરોપીઓની ઉંમર 20 વર્ષ હતી. આ તમામ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર હતા, જેમણે દારૂ પીધા બાદ 7 કલાક સુધી ડોક્ટર સાથે આ કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ પીડિતને શાદનગરના બહારના વિસ્તારમાં સળગાવી દીધી હતી. ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post