• Home
  • News
  • કોડીનારમાં અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્રએ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી
post

પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 10:13:15

જુનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મીત સોલંકી (ઉં.વ.22)એ આજે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ અંગેની જાણ થતા જ કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મીતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

અડવી ગામમાં રહેતા આર્મીમેનની રિવોલ્વર હતી
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોડીનારના અડવી ગામમાં રહેતા આર્મીમેન મિતનો મિત્ર છે. તેની રિવોલ્વર મિત પાસે જ હતી. આ મિત્રની રિવોલ્વરમાંથી જ મિતે ફાયરિંગ કરી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મિત પાસેથી કોઈ પણ પ્રકારના લખાણવાળી સ્યુસાઈડ નોટ મળી આવી નથી. મિતે આજે સોમવારે બપોરે 1.30થી 2 વાગ્યાના સમયગાળામાં પોતાના ઘરે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મિતે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post