• Home
  • News
  • શંકરન નાયરની બાયોપિકમાં અક્ષય કુમાર સાથે અનન્યા પાંડે
post

અક્ષય કુમારની પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ધાર્યો દેખાવ કરી શકી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-07 19:03:46

મુંબઈ: કરણ જોહર દ્વારા એડવોકેટ સી.શંકરન નાયરની બાયોપિક પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. તેમાં મુખ્ય અભિનેતા તરીકે અક્ષય કુમાર અને અભિનેત્રી તરીકે અનન્યા પાંડેના નામ ફાઈનલ થયાં હોવાનું ચર્ચાય છે. 

કરણ જોહરે ગયાં વર્ષે સી. શંકરન નાયરની બાયોપિક પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. સી.શંકરન નાયરે એક વકીલ તરીકે બ્રિટિશ સામ્રાજ્ય સામે બાથ ભીડી હતી. તેમની જીવનકથા પર આધારિત પુસ્તક 'ધી કેસ ધેટ શૂક ધી એમ્પાયર' પરથી આ ફિલ્મ બનાવવાના રાઈટ્સ કરણ જોહરે મેળવ્યા છે. 

આ ફિલ્મની કાસ્ટની વિગતો બહાર આવી રહી છે. મુખ્ય ભૂમિકા માટે અક્ષય કુમારનું નામ નક્કી થયું હોવાનું કહેવાય છે. તેની સાથે અનન્યા પાંડે જુનિયર વકીલની ભૂમિકામાં હશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણસિંહ ત્યાગી છે. 

અક્ષય કુમારની પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ધાર્યો દેખાવ કરી શકી નથી. હાલ તે સૂરારાઈ પોટ્ટુરુની રીમેકમાં વ્યસ્ત છે. કરણ જોહર રોકી ઔર રાની કે પ્રેમ કહાનીના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પૂર્ણ થયા પછી આ બાયોપિકનું ફિલ્માંકન શરૂ થશે તેમ માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post