સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંત સૂર્યવંશીના નામથી પણ જાણીતો હતો.
મુંબઈ: ટીવી એક્ટર સિદ્ધાંતનું આજે
એટલે કે 11 નવેમ્બરના રોજ સવારે જિમમાં
વર્કઆઉટ કરતા સમયે મોત થયું હતું. સિદ્ધાંતને પહેલા જિમમાં ચક્કર આવ્યા હતા અને તે
બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ
કર્યો હતો. જોકે તે ભાનમાં ના આવતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. નોંધનીય છે
કે આ પહેલાં રાજુ શ્રીવાસ્તવ, દીપેશ ભાનનું પણ જિમમાં વર્કઆઉટ કર્યા બાદ અવસાન થયું હતું. નોંધનીય છે કે
સિદ્ધાંત ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અંગે જાણીતો હતો.
કોકિલાબેન હોસ્પિટલ લઈ
જવામાં આવ્યો
ત્યાર બાદ સિદ્ધાંતને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અહીં ડૉક્ટર્સે એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે ડૉક્ટર્સે તેને
મૃત જાહેર કર્યો હતો.
ટીવી એક્ટર જય
ભાનુશાલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
ટીવી એક્ટર જય ભાનુશાલીએ સો.મીડિયામાં સિદ્ધાંતની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'બહુ જ જલદી જતો રહ્યો....'
સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંત સૂર્યવંશીના નામથી
પણ જાણીતો હતો. સિરિયલ 'કુસુમ'થી તેણે ટીવી ડેબ્યુ કર્યું
હતું. સિદ્ધાંતે વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે,
'કસૌટી જિંદગી કી',
'કૃષ્ણા અર્જુન',
'ક્યા દિલ મેં હૈ'
સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો 'ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી' તથા 'જિદ્દી દિલ' હતા.
લગ્નજીવનનાં 15 વર્ષ બાદ ડિવોર્સ થયા
સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2015માં બંને અલગ થઈ ગયાં હતાં. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી છે, જ્યારે એલિસાને પહેલા લગ્નથી
દીકરો માર્ક છે. 2017માં સિદ્ધાંતે એલિસા રાઉત સાથે લગ્ન કર્યા હતા.
સપ્ટેમ્બરમાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
સિદ્ધાંતે સપ્ટેમ્બર મહિનામાં પોસ્ટ શૅર કરી હતી. આ
પોસ્ટમાં સ્લો મોશન વીડિયો હતો. ત્યારબાદ સિદ્ધાંતે એક પોસ્ટ શૅર કરી હતી અને
તેમાં તેણે ફૂડ સપ્લિમેન્ટ્સની જાહેરાત કરી હતી.
10 સપ્ટેમ્બરે
દીકરીનો જન્મદિવસ ઉજવ્યો
સિદ્ધાંતે 10
સપ્ટેમ્બરે દીકરી ડિઝાનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.