• Home
  • News
  • કોરોનાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ માટે સુપ્રીમકોર્ટમાં અરજી
post

શ્રી અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:01:15

નવી દિલ્હી: અમરનાથ યાત્રા પર ચાલુ વર્ષે કોરોનાને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી સુપ્રીમકોર્ટમાં કરાઈ છે. અરજીકર્તાએ માંગ કરી છે કે આ વર્ષે સામાન્ય લોકો માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને ધાર્મિક અનુષ્ઠાનનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ. આ અંગે આગામી સપ્તાહે સુનાવણી થશે. 

શ્રી અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે. અમરનાથ યાત્રાની તારીખ જાહેર કરાઈ નથી તેમ છતાં 28 જુલાઈ પહેલાથી જ ભંડારા સંગઠનોને પહોંચીને કામ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post