શ્રી અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:01:15
નવી દિલ્હી: અમરનાથ યાત્રા પર ચાલુ વર્ષે કોરોનાને કારણે પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી સુપ્રીમકોર્ટમાં કરાઈ છે. અરજીકર્તાએ માંગ કરી છે કે આ વર્ષે સામાન્ય લોકો માટે પ્રતિબંધ મૂકવો જોઈએ અને ધાર્મિક અનુષ્ઠાનનું લાઈવ પ્રસારણ કરવું જોઈએ. આ અંગે આગામી સપ્તાહે સુનાવણી થશે.
શ્રી
અમરનાથ બર્ફાની લંગર સંગઠનના વકીલ અમિત પાઈએ જાહેરહિતની અરજી કરી છે. અમરનાથ
યાત્રાની તારીખ જાહેર કરાઈ નથી તેમ છતાં 28 જુલાઈ પહેલાથી જ ભંડારા
સંગઠનોને પહોંચીને કામ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.