પાકિસ્તાન સિંગસિલામાં સૈન્ય તહેનાત કરી રહ્યું હતું
ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સેના પર બલુચ લડવૈયાઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં 16 જવાન માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બલુચિસ્તાન લિબરેશન ટાઈગર્સના લડવૈયાઓએ મંગળવારે પાકિસ્તાન જવાનો પર ગોળીબાર કર્યા હતા અને ગ્રેનેડ પણ ઝીંક્યા હતા. આ હુમલો ત્યારે થયો, જ્યારે પાકિસ્તાની સેના સિંગસિલા ક્ષેત્રમાં તહેનાત થઈ રહી હતી. બલુચ લડવૈયાઓ જવાનોના હથિયાર અને વિસ્ફોટકો પણ છીનવી લીધા હતા. ત્યાર પછી સેનાની છાવણીમાં આગ લગાવી દીધી. જોકે, હુમલા વિશે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.
આ હુમલાનો વીડિયો
સોશિયલ મીડિયામાં વાઈરલ છે. તેમાં લડવૈયા પાકિસ્તાન સેનાના વાહનોમાં આગ લગાવતા
નજરે પડી રહ્યા છે. એક વીડિયોમાં કહેવાય છે કે, આ ઘટના પછી સેનાએ આશરે 100 લોકોનું
અપહરણ કર્યું છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. બલુચિસ્તાન લિબરેશન ટાઈગર્સ
એક સંગઠન છે. તેનો સંબંધ અફઘાનિસ્તાન સાથે છે.