• Home
  • News
  • ધાર્મિક સ્થળો બહાર ભીખ માગવા પર પ્રતિબંધ મુકાયો
post

જૂનાગઢ, ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, ચાંપાનેર-પાવાગઢ, બહુચરાજી જાહેરનામાનો અમલ કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:24:51

માણસા: ગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધક અધિનિયમ હેઠળ ધર્મિક સ્થળોની આસપાસ ભીખ માગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂતનાથ મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ મંદિર, દામોદરકુંડ સહિતના અનેક સ્થળો ભિક્ષા માંગવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આદેશથી ધાર્મિક સ્થળોની આસપાસ ભિક્ષુકોના દ્રશ્યો ભવિષ્યમાં ભૂતકાળ બની જશે. અધિનિયમનો હેતુ ભિક્ષકોને સારૂ જીવન આપવાનો પણ છે. જૂનાગઢ ઉપરાંત ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, ચાંપાનેર-પાવાગઢ, બહુચરાજી તેમજ અરવલ્લીના શામળાજીમાં પણ નવા જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post