તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 11:18:01
કોલકતાઃ પશ્ચિમ બંગાળના આસનસોલ ગામમાં રવિવારે રાતે કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટી(BJP)ની ઓફિસને સળગાવી દીધી હતી. બીજેપીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ(TMC) આ માટે જવાબદાર છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છે.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સિટિઝનશીપ એમેન્ડમેન્ટમેન્ટ એક્ટના સમર્થનમાં આસનસોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢી હતી. આ દરમિયાન તેમને પોલીસે રોકયા હતા.