સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટર રોહિત શેટ્ટીની સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે
મુંબઈ: બોલીવુડમાં બ્રેકઅપ એક સામાન્ય વાત થઇ ગઈ છે. તો કેટલાક
સંબંધો લગ્નના મંડપ સુધી પહોંચી શકે છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં સિદ્ધાર્થ
મલ્હોત્રા અને કિયારા અડવાણીના સંબંધની ખબરો ચર્ચાનો વિષય હતું. બંનેને ઘણી વાર
સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યારે પણ કિયારા અને સિદ્ધાર્થે તેના
સંબંધોને જાહેર કર્યા ના હતા. બંને એકબીજાને સારા મિત્રો જ જણાવતા જ હતા. હવે
રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. બોલીવુડના સૌથી ક્યૂટ કપલમાં
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ગણના થતી હતી. આ કપલ હંમેશા તેના
સંબંધોને લઈને ચર્ચામાં રહ્યું છે. પરંતુ બંને પૈકી કોઈએ પણ તેના સંબંધને જગજાહેર
કર્યા ના હતા. હાલમાં જ સામે આવેલા સમાચાર મુજબ સિદ્ધાર્થ અને કિયારાનું બ્રેકઅપ
થઇ ગયું છે.
સિદ્ધાર્થ અને કિયારા
ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થયા છે. હાલ તો બંનેના અલગ થવાનું કારણ
જાણી શકાયું નથી. ફેન્સ તેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. કિયારા અને
સિદ્ધાર્થે આઉટિંગ પર ઘણી વાર સાથે સ્પોટ થયા હતા.
સિદ્ધાર્થ અને કિયારાના
સંબંધમાં તિરાડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, "સિદ્ધાર્થ અને કિયારા
અલગ થઈ ગયા છે. કપલે એકબીજાને મળવાનું પણ બંધ કરી દીધું છે. તેમના અલગ થવા પાછળનું
કારણ કપલને વધુ સારી રીતે ખબર છે. પરંતુ તેમના બ્રેકઅપે લોકોનું દિલ તોડી નાખ્યું
છે. "
નજીકના સૂત્રએ વધુમાં
જણાવ્યું હતું કે, "સિદ્ધાર્થ અને કિયારાનું બોન્ડીગ ખુબ જ સારું હતું. એક સમય એવો હતો જ્યારે
દરેકને લાગતું હતું કે બંને લગ્નગ્રંથીથી બંધાઈ જશે. પરંતુ આ સંબંધ લગ્ન સુધી
પહોંચી શક્યો ના હતો. "
શેરશાહમાં બંને સાથે
આવ્યા હતા નજરે
સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટર રોહિત શેટ્ટીની સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. આ સિરીઝ
એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. તો કિયારા તેની આગામી ફિલ્મ 'ભૂલભૂલૈયા-2'માં જોવા મળશે. કિયારા
અને સિદ્ધાર્થ 2021માં આવેલી ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું.