13 નવેમ્બર, 1989માં કોલકાતામાં જન્મેલી પાયલે સાઉથ તથા હિંદી ફિલ્મમાં કામ કર્યું છે
એક્ટ્રેસ
પાયલ ઘોષે હાલમાં જ જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ કર્યો છે.
કંગનાએ પાયલ ઘોષને સમર્થન આપ્યું છે. રવિવાર, 20 સપ્ટેમ્બરના રોજ કંગનાએ સોશિયલ
મીડિયામાં ટ્વીટ કરીને અનુરાગ કશ્યપ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કંગનાએ કહ્યું
હતું કે અનુરાગ ક્યારેય એક સ્ત્રી પ્રત્યે વફાદાર રહ્યો નથી અને તેથી જ તે આવું
કરી શકે છે. અનુરાગનું પ્રોડક્શન હાઉસ 'ફેન્ટમ' પણ વ્યભિચારી #MeTooના આરોપીઓથી ભરેલું છે.
કંગનાનાં
મતે, બુલિવૂડ એવા લોકોથી
ભરેલુ છે,
જે
ઈચ્છે છે કે રોજ નવી અને યુવાન છોકરીઓ તેમને ખુશ રાખે. આ સાથે જ કંગનાએ કહ્યું
હતું કે સંઘર્ષ કરતી બહારની યુવતીઓ સાથે અહીંયા સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર
સામાન્ય વાત છે.
અનુરાગે પણ સ્વીકાર્યું
હતું કે તે ક્યારેય વફાદાર રહ્યો નથી
કંગનાએ
ટ્વીટમાં કહ્યું હતું,
'પાયલ
ઘોષે જે પણ કહ્યું તે બધું કરવામાં અનુરાગ કશ્યપ સક્ષમ છે. તેણે પોતાના તમામ
પાર્ટનર્સ સાથે વિશ્વાસઘાત કર્યો અને તે પોતે પણ સ્વીકારી ચૂક્યો છે કે તે એક
મહિલા પ્રત્યે ક્યારેય વફાદાર રહ્યો નથી. 'ફેન્ટમ' વ્યભિચારી #MeToo આરોપીથી ભરેલું છે. મેં પહેલાં
પણ તે પીડિતોનું સમર્થન કર્યું હતું અને લિબરલ્સે મારી વિરુદ્ધ અભિયાન ચલાવવાનું
શરૂ કર્યું હતું.'
'જ્યાં સુધી મને ખ્યાલ છે
કે અનુરાગે પોતે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે બે લગ્ન બાદ પણ તે ક્યારેય વફાદાર
રહ્યો નથી. અનુરાગે પાયલ સાથે જે પણ કર્યું તે બુલિવૂડમાં સામાન્ય વાત છે.
બહારની યુવતીઓ સાથે
સેક્સ વર્કર્સ જેવો વ્યવહાર સામાન્ય વાત
'બુલિવૂડ આવા જ યૌન શિકારીઓથી ભરેલું છે, જેમણે નકલી તથા ડમી લગ્ન
કરી રાખ્યા છે અને આશા રાખે છે કે રોજ નવી તથા હોટ યુવતીઓ તેમને ખુશ કરે. તેઓ
યુવાન તથા નબળા પુરુષો સાથે પણ આવું જ કરે છે. મેં મારો બદલો મારી રીતે લીધો છે
અને મને #MeTooની જરૂર નથી, પરંતુ મોટાભાગની યુવતીઓ
આવું કરે છે.'
પાયલની સાથે જે થયું તેવું જ મોટા હીરોએ મારી સાથે
કર્યું છે
'પાયલ
ઘોષે જે પણ કહ્યું છે,
તેવું
મોટા હીરોએ મારી સાથે કર્યું હતું. અચાનક વેન અથવા રૂમનો દરવાજો બંધ કરીને પોતાના
પ્રાઈવેટ પાર્ટ બતાવવા અથવા પાર્ટીમાં ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતાં સમયે અચાનક તેઓ
પોતાની જીભ તમારા મોં પર ફેરવવા લાગે છે, કામ માટે અપોઈન્ટમેન્ટ લેવી અને ઘરે આવીને તમારી સાથે
જોર-જબરસ્તી કરે છે.'
મારું દિલ પાયલની સાથે
'#MeToo બુલિવૂડની
એક મોટી નિષ્ફળતા છે,
કારણ
કે મોટાભાગના બળાત્કારી તથા ઉત્પીડન કરનાર માત્ર લિબરલ્સ છે, આથી જ તેમણે આંદોલનને
આગળ વધવા ના દીધું. નિશ્ચિત રીતે અન્ય પીડિતોની જેમ જ પાયલ ઘોષ પણ અપમાનિત થશે અને
તેને પણ ચૂપ કરાવવામાં આવશે. જોકે, મારું દિલ તેની સાથે છે. આપણે એક સારા સમાજની આશા
કરીએ છીએ.'
એક દિવસ પહેલા કહ્યું
હતું,
'દરેક અવાજનું મહત્ત્વ છે'
પાયલે અનુરાગ પર
આક્ષેપ કરતી ટ્વીટ કરી હતી ત્યારે કંગનાએ પાયલની ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું
હતું, 'દરેક અવાજ મહત્ત્વ ધરાવે
છે'
પાયલે PMOને ન્યાય માટે અપીલ કરી
અભિનેત્રી પાયલ ઘોષે
ટ્વીટ કરી લખ્યું હતું,
'અનુરાગ
કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને
દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને
નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.'
પાયલઃ અનુરાગ જબરજસ્તી સંબંધ બનાવવા માગતો હતો
તેલુગુ
ન્યૂઝ ચેનલ ABMને આપેલા ઈન્ટરવ્યૂમાં
પાયલે કહ્યું હતું કે વર્ષ 2014 અથવા 2015માં જ્યારે તે કામના ભાગ રૂપે
અનુરાગને મળી તો ફિલ્મમેકરે તેની સાથે જબરજસ્તી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે પાયલે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો તો અનુરાગે તેને કહ્યું હતું કે તેની
સાથે કામ કરી ચૂકેલી તમામ એક્ટ્રેસને માત્ર એક ફોન કરવા પર આવી જાય છે.
કોણ છે પાયલ ઘોષ?
13 નવેમ્બર, 1989માં કોલકાતામાં જન્મેલી
પાયલે સાઉથ તથા હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. પાયલે કોલકાતાની સેન્ટ પૉલ્સ મિશન
સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે કોલકાતાની સ્કૉટિશ ચર્ચ કોલેજમાંથી પોલિટિકલ
સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. હાલમાં પાયલ મુંબઈમાં રહે છે. પાયલે 2017માં 'પટેલ કી પંજાબી શાદી'થી બોલિવૂડ ડેબ્યૂ
કર્યું હતું. ડિરેક્ટર સંજય છેલની આ ફિલ્મમાં વીરદાસ, રીશિ કપૂર, પરેશ રાવલ તથા પ્રેમ
ચોપરા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પાયલે લોકપ્રિય ટીવી સિરિયલ 'સાથ નિભાના સાથિયા'માં કામ કર્યું હતું.
સિરિયલમાં પાયલે રાધિકાનો રોલ પ્લે કર્યો હતો. હાલમાં પાયલ હિંદી ફિલ્મ 'કોઈ ના જાને'માં કામ કરી રહી છે.