• Home
  • News
  • બોટાદમાં પોલીસ વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 3 લોકોનાં મોત
post

બરવાળા ચોકડી પાસે ગઇકાલે રાત્રીના સમયે બોટાદ પોલીસની પી.સી.આર.વાન અને રીક્ષા વચ્ચે ગમવખાર અકસ્માત સર્જાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-15 12:36:40

બોટાદ : બરવાળા ચોકડી પાસે ગઇકાલે રાત્રીના સમયે બોટાદ પોલીસની પી.સી.આર.વાન અને રીક્ષા વચ્ચે ગમવખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર છ લોકો પૈકી ત્રણ વ્યક્તિનાં મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ જિલ્લામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી જાય છે. બે દિવસ પહેલા બરવાળા અને ધંધુકા વચ્ચેનાં માર્ગ પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. તો ગઈકાલે ગઢડા રોડ પર ગાડી પુલની દીવાલ સાથે અથડાતા બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ગઇકાલે રાત્રિના બોટાદ પોલીસ સ્ટેશનની પી.સી.આર વાન નંબર જી.જે.33 જી.0519 બરવાળા તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો છે.

બરવાળા ચોકડી પાસે પોલીસની પી.સી. આર વાન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર મહંમદભાઈ જે બોટાદના રહેવાસી છે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

બનાવનાં પગલે બરવાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, બનાવમાં પોલીસની પી.સી.આર વાનમાં રહેલા કોઈ ને પણ ઈજાઓ થઇ ન હતી. બરવાળા ચોકડી પાસે જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં રોડની સાઈડમાં ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યાં માટીનાં ઢગલા રોડ પર પડેલા હતાં. જેના કારણે આ અકસ્માત બન્યો હોવાનું હાલ પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે.

                                                                                      

adv

Related News

post
post
post
post
post
post
post