. ગોવિંદા સાળંગપુર મંદિર ખાતે આવ્યો હોવાની વાત પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
બોટાદ : ફિલ્મ અભિનેતા ગોવિંદાએ આજે સાળંગપુર
ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા. ગોવિંદા સાળંગપુર મંદિર ખાતે આવ્યો
હોવાની વાત પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, તેમજ તેની સાથે
સેલ્ફી લેવા માટે તેના ચાહકોએ પડાપડી કરી હતી.
ગોવિંદાએ હનુમાનદાદાના દર્શનની સાથે સાથે મંદિર તરફથી ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને અન્ય વિગતો પણ સાધુ-સંતો પાસેથી મેળવી હતી. નોંધનીય છે કે બોલિવૂડ અભિનેતા ગોવિંદા હનુમાન ભક્ત છે. તે અવારનવાર સાળંગપુર હનુમાન દાદાના દર્શને આવતો રહે છે.