ઓટો કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટમાં બીએસ-4 વાહનો વેચે તેવી શક્યતા
Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 10:54:06
નવી
દિલ્હી: સુપ્રીમકોર્ટે
શુક્રવારે કાર ઉત્પાદકોની માંગ ફગાવી દીધી છે. તેમણે બીએસ-4 વાહનો
વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે
માર્ચ 2020 પછી બીએસ-4 વાહનો વેચી શકાશે નહીં.
સુપ્રીમકોર્ટના આ નિર્ણયને કારણે ઓટો કંપનીઓએ તમામ બીએસ-4 વાહનો
બજારમાંથી હટાવવા પડશે. આ કારણે તેઓ ભારે ડિસ્કાઉન્ટમાં આ વાહનો વેચે તેવી શક્યતા
છે. જો કે બીએસ-6 લાગુ થવાથી વાહનોના ભાવ વધવાની પણ શક્યતા છે.