કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના પુરાવાને અપડેટ કરી શકાશે.
તમે જે દસ્તાવેજોમાં સુધારો કરશો તો તે તમામ સુધારા
ડિજીલોકર સાથે લિંક કરાયેલા તમામ દસ્તાવેજોમાં દેખાશે. ડિજીલોકર અને આધારનો KYCને લગતી જરૂરિયાતો પૂરી કરવા વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉપયોગ
કરી શકાશે. કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક
મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં
આવ્યો છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ
સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના
પુરાવાને અપડેટ કરી શકાશે.
ડિજીલોકર વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ-
ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ
સિસ્ટમ તરીકે કામ કરશે. હવે તમે જે પણ દસ્તાવેજોમાં સુધારો કરશો તો તે તમામ સુધારા
ડિજીલોકર સાથે લિંક કરાયેલા તમામ દસ્તાવેજોમાં દેખાશે. ડિજીલોકર અને આધારનો KYCને લગતી જરૂરિયાતો પૂરી કરવા વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉપયોગ
કરી શકાશે. આમ થવાથી ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોના સંગ્રહ અને શેરિંગની
ક્ષમતામાં વધારો થશે. ડિજીલોકર
માટે સરકાર એક સંસ્થા ઉભી કરશે, જેના
થકી નાના અને મધ્યમ ઉદ્યોગો, મોટા
ઉદ્યોગો તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ ઓનલાઈન દસ્તાવેજોને સ્ટોર તેમજ શેર કરી શકશે.
ડિજીલોકર શું છે?
કેન્દ્ર સરકારે પોતાની ડિજીટલ ઈન્ડિયા પહેલ હેઠળ ડિજીલોકરની
વ્યવસ્થા શરૂ કરી હતી. જેમાં લોકો પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ પર પોતાનાં
દસ્તાવેજોને સલામત રીતે સેવ કરી શકે છે. આ વ્યવસ્થાનો હેતુ લોકોને પેપરલેસ
ગવર્નન્સ પૂરું પાડવાનો છે. ડિજીલોકર દસ્તાવેજોને ઈશ્યુ કરવા તેમજ તેમની ખરાઈ કરવા
માટેનું એક ડિજીટલ પ્લેટફોર્મ છે. જે લોકોને કાગળનાં દસ્તાવેજોને પોતાની સાથે
રાખવાની ઝંઝટથી મુક્તિ આપે છે. આ માટે ઓરિજનલ દસ્તાવેજોને સ્કેન કરવાની જરૂર પડે
છે.
ડિજીટલ દસ્તાવેજો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળ કાયદેસર રીતે માન્ય છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજો
મૂળ દસ્તાવેજોની સમકક્ષ ગણાય છે...ગેઝેટ્સના માધ્યમથી આ દસ્તાવેજોનો ગમે ત્યારે
ઉપયોગ કરી શકાય છે. ડિજીલોકરની સુવિધા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવે છે.