• Home
  • News
  • Budget 2023: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો
post

ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 18:53:55

નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના સુવર્ણકાળનું આ પ્રથમ બજેટ છે.  ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, ચાલુ વર્ષનો વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ રહે તેવો અનુમાન છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા અત્યાર સુધીની જાહેરાતો 

3 કરોડના ટર્નઓવર વાળા લઘુ ઉદ્યોગોને કરમાંથી મુક્તિ

નવા આવકવેરાના દરો આ મુજબ છે

રૂ. 0-3 લાખ

શૂન્ય

રૂ. 3-6 લાખ

 5%

રૂ 6-9 લાખ

10%

રૂ 9-12 લાખ

15%

રૂ 12-15 લાખ

20%

15 લાખથી વધુ

30%

કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવમાં આવશે, રમકડા, સાયકલ, ઓટો મોબાઈલ, ટેલિવિઝન સસ્તા થશે  

સિનિયર સિટીઝનોની બચત યોજનાની સીમા 15 લાખથી વધારી 30 લાખ કરાઈ

મહિલાઓને 2 લાખની બચત પર 7 ટકા વ્યાજ મળશે

ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે, 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે

જન-ધન યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલવા જરૂરી KYCની પ્રક્રિયા વીડિયો કૉલ દ્વારા કરવામાં આવશે

સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો બનાવવા પર ભાર મૂકશે અને 30 સ્કીલ ઈન્ડિયા કેન્દ્રોની સ્થાપના કરશે

ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં શ્રેષ્ઠતા લાવવા માટે ત્રણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ ટૂંક સમયમાં તૈયાર કરવમાં આવશે. 

ભારત @ 100 દ્વારા, દેશ વિશ્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે 81 લાખ સ્વ-સહાય જૂથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે. 

પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું.જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

નવો ફાર્મા પ્રોગ્રામ
દેશમાં ફાર્માસ્યુટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે એક નવો ફાર્મા પ્રોગ્રામ બનાવવામાં આવશે. મેડિકલ કોલેજ માટે લેબની વ્યવસ્થા કરવામાં આવશે. મેડિકલ સાધનો બનાવવાના કોર્સ શરૂ કરવામાં આવશે.

સપ્તર્ષિ યોજના
સપ્તર્ષિ યોજનાનો ઉલ્લેખ કરતા મોદી સરકારની મહત્વપૂર્ણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. આ મુજબ-સમાવેશક વિકાસ- ખેડૂતો, મહિલાઓ, યુવાનો, ઓબીસી, એસસી, એસટી અને દિવ્યાંગજન અને આર્થિક રીતે પછાત લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે. વંચિતોને પ્રાધાન્ય આપવામાં આવશે

PM આવાસ યોજનાનું બજેટ 66 ટકા વધારી 79 હજાર કરોડ કરાયુ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ 33 ટકા વધારી 10 લાખ કરોડ કરાયો

કૃષિ ક્ષેત્રે 20 લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય

2024થી બનેલી વર્તમાન 157 મેડિકલ કોલેજ સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવશે.

હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે દેશમાં 50 નવા ઍરપોર્ટ બનાવવાની જોગવાઈ

KYC પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે. કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા જમા કરવામાં આવશે, જેથી વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં

 

adv

Related News

post
post
post
post
post
post
post