• Home
  • News
  • નાપાક હરકત : પાકિસ્તાની સેનાએ સીઝફાયર ભંગ કરતા ભારતનો એક જવાન શહીદ
post

પાકિસ્તાનની આવી શરમજનક કરતૂતનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 10:46:54

શ્રીનગર : પાકિસ્તાન સીમા પર નાપાક કરતૂતો કરવામાંનું બંધ કરવાનું નામ જ નથી લઈ રહ્યું. પાકિસ્તાની સેનાએ એલઓસી નજીક ભારે ગોળીબાર કર્યો છે. આ હુમલામાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા છે. સેનાના પીઆરઓએ જણાવ્યું કે પાકિસ્તાને મેંઢર સબ ડિવિઝનના કેજી સેક્ટરમાં સીઝફાયરનો ભંગ કર્યો છે. સીમા પર પાકિસ્તાને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. 


પાકિસ્તાનની આવી શરમજનક કરતૂતનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની સેનાને પણ ભારે નુકશાન થયું હોવાની જાણકારી મળી છે. નોંધનીય છે કે શિયાળાની શરૂઆત થતાની સાથે જ આતંકવાદીઓને કવર ફાયર કરવા માટે પાકિસ્તાની સેના અવારનવાર ભારતીય ચોકીઓ પર ગોળીબાર અને બોમ્બ બ્લાસ્ટ કરતી આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post