ધોનીને ક્રિકેટ-ફૂટબોલ સિવાય બેડમિન્ટન પણ પસંદ, બેડમિન્ટનમાં અંડર-19 સ્ટેટ ચેમ્પિયનશિપ પણ રમી ચૂક્યા છે
પૂર્વ ભારતીય કેપ્ટન
મહેન્દ્રસિંહ ધોની આજે 39
વર્ષના
થયા છે. તેમનો જન્મ 7
જુલાઈ
1981ના રોજ ઝારખંડ (તત્કાલીન
બિહાર)ના રાંચીમાં થયો હતો. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતે 2007માં T-20, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી
જીતી હતી. ધોની હંમેશાં ગ્રાઉન્ડની અંદર અને બહાર શાંત રહે છે. બહુ ઓછા પ્રસંગો
હશે જ્યારે ચાહકોએ તેમને ગુસ્સામાં જોયા હશે. આ અંગે ક્લબ કોચ ચંચલ ભટ્ટાચાર્યએ
ખુલાસો કર્યો છે કે ધોની પાસે ગુસ્સો કંટ્રોલ કરવા માટે એક અલગ ટેક્નિક છે.
1996થી 2004 સુધી કમાન્ડો ક્રિકેટ
ક્લબમાં ધોનીના કોચ રહેલા ચંચલે કહ્યું કે, ગુસ્સે થતાં ધોની પોતાનું નાક ચડાવી દેતા હતા. તે
લોકો પર ગુસ્સો વ્યક્ત નહોતો કરતા. ક્લબમાં રમતી વખતે પણ તેમનું વલણ આવું જ હતું.
આ વખતે ધોનીનો જન્મદિવસ ગુરુપૂર્ણિમાના બીજા દિવસે આવ્યો છે.
શું ધોની શરૂઆતથી શિસ્તબદ્ધ હતા?
ચંચલ: એક સમયે, મેં આખી ટીમને સજા કરી.
તમામ ખેલાડીઓને બસને બદલે બેગ લઈને દોડતા શાળાએ જવાનું કહેવામાં આવ્યું હતું. શાળા
લગભગ 1 કિમી દૂર હતી. અન્ય
ખેલાડીઓએ મને સજા અંગે પૂછપરછ કરી, પરંતુ ધોની કંઈપણ બોલ્યા વગર બેગ લઈને ગયા. જોકે, ધોનીએ ભૂલ કરી નહોતી.
તેને કંઈ પણ બોલો,
તે
કારણ પૂછ્યા વગર કરી નાખતા હતા. કદાચ આ ખાસિયતના કારણે તેઓ સફળતા તરફ આગળ વધ્યા.
શું ધોની શરૂઆતથી શાંત રહેતા હતા? તે ક્યારેય ગુસ્સે થયા નથી?
ચંચલ: અન્ય બાળકોની જેમ ધોની
પણ ગુસ્સે થતો હતો,
પરંતુ
તેણે ક્રોધને કાબૂમાં રાખવાની કળા શીખી. તે લોકોને જણાવ્યા વિના અને કોઈને નુકસાન
પહોંચાડ્યા વિના પોતાનો ગુસ્સો જુદી જુદી રીતે વ્યક્ત કરતા હતા. ગુસ્સે થવા પર, ધોની તેમનું નાક આડું
કરી લેતા અને તે ટૂંકા સમયમાં નોર્મલ થઈ જતા હતા. આ ટેવથી તે કેપ્ટન કૂલ બની ગયા
છે.
ભારતીય ટીમમાં સામેલ થયા પછી ધોનીની વર્તણૂકમાં બદલાવ?
ચંચલ: ધોનીની અંદર એક ગુણવત્તા
છે કે તે કોઈનો પણ કોન્ફિડન્સ ઓછો કરતા નથી. જુસ્સો વધારે છે. જ્યારે કોઈ પૂછે છે
કે તમે મને જાણો છો,
તો
ધોની કદી કહેતો નથી કે તે ઓળખતો નથી. ભલે ધોની તે વ્યક્તિને ઓળખતો નથી. માહી તે
વ્યક્તિને કોઈ અજાણ્યા જેવું અનુભવા દેતો નથી અને વાતો પણ કરે છે. મેદાનમાં પણ
જુનિયરને પ્રોત્સાહિત કરે છે.
સુકાની તરીકે ધોનીની સફળતાનું કારણ શું હતું?
ચંચલ: ધોનીની એક વિશેષતા એ છે
કે તે હંમેશાં જેમની પર વિશ્વાસ કરે છે તેમની સાથે ઉભો રહે છે. તે જાણે છે કે
કોઈની પાસેથી તેમનું 100%
કેવી
રીતે લેવું. આ જ કારણ છે કે તેણે કેપ્ટનશિપ હેઠળ નવા ખેલાડીઓને તક જ આપી નહોતી, પરંતુ તેમણે તેમના પર
વિશ્વાસ કર્યો હતો અને તેમાંથી 100% મેળવવામાં પણ સફળ રહ્યા. ધોની હંમેશાં પોતાને માને
છે.
તેમણે
ક્લબ ક્રિકેટમાં પણ ક્યારેય નથી કહ્યું કે તેમને ક્યા નંબરે બેટિંગ કરવી છે. તમે
તેમને ગમે તે નંબર પર બેટિંગ કરવા મોકલો, તે સવાલ કર્યા વગર જતા. આથી જ તેમની કપ્તાનીમાં
ભારતીય ટીમે ઘણા ઇતિહાસ રચ્યા.
શું ધોનીને સ્કૂલમાં ક્રિકેટ અને ફૂટબોલ સિવાય કોઈ અન્ય રમત ગમતી હતી?
ચંચલ: દરેકને ધોની વિશે ખબર છે
કે તે ક્રિકેટ અને ફૂટબોલ રમતો હતો, પરંતુ તે બેડમિંટન રમવાનું પણ પસંદ કરતા હતા. તે
બેડમિન્ટનમાં અંડર-19
સ્ટેટ
ચેમ્પિયનશિપ પણ રમી ચૂક્યા છે.
ધોની પાસે ગુસ્સો નિયંત્રણમાં રાખવાની ક્ષમતા છે: મોહિત
પેસર મોહિત શર્માએ કહ્યું, 'એવું નથી કે માહીને
ગુસ્સો નથી આવતો. અન્ય લોકોની જેમ, તેઓ પણ ગુસ્સે થાય છે, પરંતુ તેઓ ક્રોધને
કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓ કોઈને કંઈ
કહેતા નથી.
માહી વાપસી કરશે, તેમનામાં ક્રિકેટ બાકી છે
મોહિતે
કહ્યું,
"ધોનીમાં
હજી ક્રિકેટ બાકી છે." તે વાપસી કરશે અને તેના ચાહકો ફરી એકવાર તેમને ટીમ
ઈન્ડિયા માટે રમતા જોશે. માહી હંમેશા મને પ્રોત્સાહન આપે છે. તેઓ નવા ખેલાડીઓનું
સમર્થન કરે છે. ''
મોહિત
શર્મા આઈપીએલમાં ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમે છે. ધોની સાથે
ભારતીય ટીમમાં પણ રમ્યો છે.
ધોની સંપૂર્ણ રીતે ફિટ છે: આર કે બેનર્જી
સ્કૂલ
ટાઇમના કોચ કે.આર. બેનર્જીએ કહ્યું હતું કે, 'ધોનીની નિવૃત્તિ અંગે ચર્ચા
કરવી યોગ્ય નથી. આ તેની અંગત બાબત છે. અત્યારે તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે. લોકડાઉન
પહેલા ધોનીએ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી હતી. આ તેની
ફિટનેસને સાબિત કરે છે. સ્કૂલના સમયની વાત કરીએ તો ધોની હંમેશા ક્લાસમાં શાંત
રહેતો. વધારે કોઈની સાથે વાત કરતો ન હતો. તે કહેવા જેટલું બોલતો. જો એકવાર કોઈની
સાથે ફાવી જાય તો તેની સાથે મસ્તી પણ કરતો હતો."