‘ચીને અમાનવીય, અનૈતિક અને સમગ્ર વિશ્વને ઘોર સંકટમાં નાંખવાનું કૃત્ય કર્યું’
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 09:42:15
નવી
દિલ્હી: યોગગુરુ રામદેવે
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી માટે ચીનને દોષિત ઠેરવ્યું છે. તેમણે કહ્યું
કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ચીનનો રાજકીય અને આર્થિક રીતે બહિષ્કાર કરવો જોઈએ.
રામદેવે ટ્વિટ કરી કહ્યું છે કે ભારતે આ માટે રાજદ્વારી પહેલ કરવાની જરૂર છે. રામદેવે
હિન્દીમાં ટ્વિટ કરી લખ્યું છે કે, સાચે જ
ચીને અમાનવીય, અનૈતિક અને સમગ્ર વિશ્વને ઘોર સંકટમાં
નાંખવાનું કૃત્ય કર્યું છે. આ માટે વિશ્વ સમુદાય દ્વારા ચીનનો રાજકીય અને આર્થિક
રીતે વિરોધ કરી તેને પાઠ ભણાવવો જોઈએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે પ્રારંભ
કરવો જોઈએ.