સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ વધારો થયો છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા
24 કલાકમાં કોરોના વાયરસના 18 હજારથી વધુ નવા
કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 378 લોકોએ
કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
નવા 18 હજારથી વધુ
કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા
24 કલાકમાં 18,870 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,37,16,451
પર પહોંચી ગયો છે. એક દિવસમાં 28,178 દર્દીઓ
રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,29,86,180 દર્દીઓ
કોરોનાને માત આપીને રિકવર થયા છે. હાલ દેશમાં 2,82,520 દર્દીઓ
સારવાર હેઠળ છે. ગઈ કાલે દેશમાં 18,795 નવા દર્દીઓ
નોંધાયા હતા જ્યારે 179 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
મોતનો આંકડો
વધ્યો
સરકારે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસની સાથે સાથે મોતના
આંકડામાં પણ વધારો થયો છે. ગઈ કાલે કોરોનાથી 179 દર્દીઓના
મોત થયા હતા જ્યારે લેટેસ્ટ આંકડા મુજબ એક દિવસમાં 378 દર્દીઓએ
કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો વધીને હવે 4,47,751 પર પહોંચી
ગયો છે.
આટલા કોરોના ટેસ્ટ થયા
ICMR ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ 56,74,50,185
ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15,04,713 ટેસ્ટ ગઈ
કાલે એટલે કે છેલ્લા 24 કલાકમાં કરાયા છે.
રસીના 54 લાખ ડોઝ
અપાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોના રસીકરણ અભિયાન
હેઠળ કોરોના રસીના કુલ 87,66,63,490 ડોઝ અપાયા છે. જેમાંથી 54,13,332
ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા.