• Home
  • News
  • ફરી કોરોનાનો વધતો કહેર, મહારાષ્ટ્રમાં માસ્ક ફરજિયાત
post

જુન મહિનાના ત્રણેય દિવસમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા મહાવિકાસ અઘાડી સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવા ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-04 17:48:28

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યમાં કોરોના કેસમાં થઈ રહેલા સતત વધારાને કારણે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ફરી રાજ્યમાં કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત કર્યું છે.  મહારાષ્ટ્ર સરકારે કોવિડના કેસોમાં થયેલા વધારાને કારણે ખુલ્લી જગ્યાઓ સિવાય જાહેરમાં ફરજિયાત માસ્કનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે 3 જૂનના રોજ જિલ્લા અને નગરપંચાયત અને મહાનગરપાલિકાને કોરોનાવાયરસનું ટેસ્ટિંગ વધારવા પણ સૂચન કરાયું છે.  લોકોએ ટ્રેન, બસ, સિનેમાઘરો, ઓડિટોરિયમ, ઓફિસો, હોસ્પિટલો, કોલેજો અને શાળાઓ જેવી બંધ જાહેર જગ્યાઓ પર માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.

1000થી વધુ કેસ 

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો થઈ રહ્યો છે. જુન મહિનાના ત્રણેય દિવસમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા મહાવિકાસ અઘાડી સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ચર્ચા કરવા ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી. આ બેઠકના સલાહ-સૂચનોના આધારે તાત્કાલિક ધોરણે માસ્ક ફરજિયાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ટાસ્ક ફોર્સે એ બાબતે પણ નારાજગી વ્યકત કરી હતી કે એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ છેલ્લા એકાદ મહિનાથી ટેસ્ટિંગની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

આ અંગે કલેક્ટર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓને લખેલા પત્રમાં અધિક મુખ્ય સચિવ (આરોગ્ય વિભાગ) પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે તમામ જિલ્લાઓએ કુલ કોરોના ટેસ્ટિંગમાં RT-PCR પરીક્ષણ 60%થી વધુ હોવું જોઈએ જેથી ઝડપી કોરોના વાયરસનું સંક્રમણ પકડી શકાય અને તેને ફેલાતો અટકાવી શકાય.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ શુક્રવારે  કોરોનાના 763 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,068,008 થઈ ગઈ છે. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16,567 લોકોના મોત થયા છે.

સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને BMC કમિશનર ઇકબાલ ચહલે સ્પષ્ટ સૂચનાઓ આપતા અધિકારીઓને કહ્યું કે," દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા વર્તમાન 8000 કોવિડ ટેસ્ટથી વધારીને 30,000થી વધુ કરવી જોઈએ." હાલમાં શહેરમાં કોરોના સંક્રમણનો દર 8% પર પહોંચી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post