કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ની બીજી લહેરનું તાંડવ
દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ 4 હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી
રહ્યા છે. કોવિડ-19ના નવા કેસમાં થોડો
ઘટાડો જરૂર થયો છે પરંતુ મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.43 લાખથી વધુ કેસ નોંધાયા
છે. જ્યારે 4000
લોકોના
મૃત્યુ થયા છે.
દેશભરમાંથી એક દિવસમાં 3.43 લાખથી વધુ કેસ
કેન્દ્રીય
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા 3,43,144 દર્દીઓ નોંધાયા છે. આ
સાથે કુલ કેસનો આંકડો 2,40,46,809
પર
પહોંચ્યો છે. જેમાંથી 2,00,79,599
લોકો
ડિસ્ચાર્જ થયા છે. કોરોનાને માત આપીને એક દિવસમાં 3,44,776 લોકો રિકવર થયા. કોરોનાએ
છેલ્લા 24
કલાકમાં
4000 લોકોનો ભોગ લીધો. આ સાથે
કુલ મૃત્યુનો આંકડો 2,62,317
પર
પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 37,04,893 લોકોને રસી આપવામાં આવી
છે.
ગુરુવારે 18 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન
કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે ગુરુવારે સમગ્ર દેશમા
કોરોનાના 18,75,515
ટેસ્ટ
કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 31,13,24,100 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં મોતનો આંકડો
ઘટ્યો
રાજ્ય
આરોગ્ય વિભાગે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં રાજ્યભરમાંથી
કોરોનાના નવા 10,742
દર્દીઓ
નોંધાયા છે. જ્યારે 15,269
દર્દીઓ
રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 109 દર્દીઓએ જીવ ગુમાવ્યા.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 42 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં
કોરોના વાયરસના છેલ્લા 24
કલાકમાં
42582 કેસ નોંધાયા છે. જ્યારે
આ દરમિયાન 850
લોકોએ
કોરોનાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ અગાઉ રાજ્યમાં બુધવારે કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ
નોંધાયા હતા જ્યારે 816
લોકોના
મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો મૃત્યુદર 1.5 ટકા છે. જ્યારે
પોઝિટિવિટી રેટ 17.36
ટકા
છે. છેલ્લા 24
કલાકમાં
મહારાષ્ટ્રમાં 54535
દર્દીઓ
રિકવર થયા છે. ત્યારબાદ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 88.34 ટકા પહોંચી ગયો છે.