હવામાં હાજર પાર્ટિક્યુલેટ મેટર (PM) મનુષ્યના ફેફસાં માટે ઝેરથી ઓછું નથી
દિવાળીના એક દિવસ બાદ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી
ગયું છે. સવારે 6 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)
323 હતો, જે સવારે 9:30 વાગ્યા સુધીમાં 353 પર પહોંચી ગયો હતો. હવામાં
સરેરાશ પાર્ટિક્યુલેટ મેટર (pm 2.5)નું સ્તર 319 માપવામાં આવ્યું હતું.
તેની પાછળનું સૌથી મોટું કારણ દિવાળી પર ફોડવામાં આવેલા ફટાકડા હોવાનું કહેવાય
છે. પ્રતિબંધ બાદ પણ શહેરમાં આખી રાત ફટાકડાનો અવાજ અને ધુમાડો ચાલુ રહ્યો હતો.
સવાર સુધીમાં દિલ્હીની હવા શ્વાસ લેવા જેવી રહી ન હતી. દિલ્હીની પાસે આવેલા નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ
હવામાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું રહ્યું છે. સવારે 9:30
વાગ્યે નોઈડાની AQI
344, ગુરુગ્રામ 341 અને ફરીદાબાદ 347 હતો.
દિવાળી પર 4 વર્ષમાં સૌથી
ઓછું પ્રદૂષણ
દિવાળીના બીજા દિવસે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ સ્તરે છે, પરંતુ દિવાળી પર
દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ચાર વર્ષમાં સૌથી નીચા સ્તરે હતું. સેન્ટ્રલ
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે સરેરાશ 24 કલાકનો AQI 312 રહ્યો છે. જે 2021માં સરેરાશ 382, 2020માં 414 અને 2019માં 337 હતો.
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું- ફટાકડાને બદલે મીઠાઈઓ પર ખર્ચ કરો
બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા
ફોડવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો
ઈન્કાર કર્યો હતો. કોર્ટે અરજી દાખલ કરનાર BJP
સાંસદ મનોજ તિવારીને કહ્યું કે લોકોને સ્વચ્છ હવામાં
શ્વાસ લેવા અને મીઠાઈઓ પર પૈસા ખર્ચવા કહ્યું. આ પહેલા હાઈકોર્ટે ફટાકડાનું ઉત્પાદન
કરતી ફેક્ટરીની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું, આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે, તેથી અમે સુનાવણી કરી શકતા નથી.
એર ક્વોલિટી ઈન્ડેક્સના
ધોરણો
શૂન્યથી 50ની વચ્ચેનો AQI સારો, 51 થી 100 સંતોષકારક, 101 અને 200 મધ્યમ, 201 અને 300 નબળો, 301 અને 400 અત્યંત નબળો, સૌથી વધુ એટલે કે હાઈએસ્ટ લેવલ પર 401 અને 500ની વચ્ચે હોય તો
પરિસ્થિતિ ખરાબ અને ચિંતાજનક છે.
PM 2.5 ફેફસાં માટે ઝેર છે
હવામાં હાજર પાર્ટિક્યુલેટ મેટર (PM) મનુષ્યના ફેફસાં માટે
ઝેરથી ઓછું નથી. આ હવામાં હાજર કણો છે, જેનું કદ 2.5 માઇક્રોમીટર અથવા
તેનાથી ઓછું છે. જેના કારણે અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. WHO ના જણાવ્યા અનુસાર
હવામાં PM 2.5 પ્રતિ ઘન મીટર 5 માઇક્રોગ્રામથી વધુ ન હોવો જોઈએ, પરંતુ સમગ્ર દેશમાં
રજકણોનું પ્રમાણ આનાથી વધુ છે