શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-02 10:38:38
મુંબઈઃ શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રના
ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. શિવસેનાએ આ
અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, ત્યારે જે ભૂલો
કરી હતી, તેવી ભૂલો મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કરશે
નહિ.
ઉલ્લેખનીય છે
કે દેવેન્દ્ર ફડણીસે તા.23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના
મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. બાદમાં 80 કલાક પછી રાજીનામું આપવાની ફરજ પડી
હતી. બાદમાં સેનાના મુખપત્ર સામનામાં બીજેપીએ લોકોને અપીલ કરી શકે તેવો ચહેરો
ગુમાવ્યો હોવાની વાત છપાઈ હતી.