EPFO એક્ટ હેઠળ, કર્મચારીના મૂળ પગાર અને DAના 12% પીએફ ખાતામાં જાય છે
નવી દિલ્હી: સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે PF ખાતામાં જમા રકમ પર
વ્યાજદર 8.10%થી 0.05% વધારીને 8.15% કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ મંગળવારે પોતાનો ઓફિસ
ઓર્ડર જારી કર્યો હતો. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકારે PF પર વ્યાજદર ઘટાડીને 8.10% કર્યો હતો, જે 43 વર્ષમાં સૌથી નીચો સ્તર
હતો. દેશના લગભગ 6 કરોડ કર્મચારી પીએફના ક્ષેત્રમાં આવે છે.
અહીં સમજો કે હવે પીએફ
પર કેટલું વધુ વ્યાજ મળશે
EPFO એક્ટ હેઠળ, કર્મચારીના મૂળ પગાર અને DAના 12% પીએફ ખાતામાં જાય છે. તો એ જ સમયે કંપની કર્મચારીના મૂળભૂત પગાર ઉપરાંત DAના 12% યોગદાન પણ આપે છે.
કંપનીના 12% યોગદાનમાંથી 3.67% PF ખાતામાં જાય છે અને બાકીના 8.33% પેન્શન યોજનામાં જાય છે. એક જ કર્મચારીના યોગદાનના તમામ
પૈસા પીએફ ખાતામાં જાય છે.
આવી સ્થિતિમાં ધારો કે 31 માર્ચ, 2023 સુધી (નાણાકીય વર્ષ 2023-24 માટે ઓપનિંગ બેલેન્સ)
તમારા પીએફ ખાતામાં કુલ 5 લાખ રૂપિયા જમા છે. આવી સ્થિતિમાં જો તમને 8.10%ના દરે વ્યાજ મળે છે તો
તમને 5 લાખ પર વ્યાજ તરીકે 40,500 રૂપિયા મળે છે. પરંતુ હવે વ્યાજદર વધારીને 8.15% કર્યા બાદ તમને રૂ.40,750નું વ્યાજ મળશે.
1952માં 3% વ્યાજ સાથે શરૂ થયું
1952માં પીએફ પર વ્યાજદર માત્ર 3% હતો. જોકે ત્યાર બાદ એમાં વધારો થતો રહ્યો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. 1984માં એ પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યું.
પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો.
આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. આ
પછી વ્યાજદરમાં ઘટાડો થવા લાગ્યો. 1999થી વ્યાજદરો ક્યારેય 10%ની નજીક નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે.
છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે.
1952-53માં અત્યારસુધીના PF વ્યાજદરો
વર્ષ |
વ્યાજ દર |
1952-66 |
3-4.75% |
1967-75 |
5-7% |
1976-83 |
7.50-8.75% |
1984-89 |
9.25-11.80% |
1990-99 |
12% |
2000-01 |
11% |
2001-05 |
9.50% |
2006-10 |
8.50-9.50% |
2011-21 |
8.25-8.50% |
2021-22 |
8.10% |
2022-23 |
8.15% |
વ્યાજદર નાણાકીય વર્ષના
અંતે નક્કી કરવામાં આવે છે.
PFમાં વ્યાજદર નક્કી કરવા માટે ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની પ્રથમ
બેઠક યોજાય છે. તે આ નાણાકીય વર્ષમાં એકઠા થયેલાં નાણાંનો હિસાબ આપે છે. આ પછી CBT મિટિંગ થાય છે. CBTના નિર્ણય પછી નાણા
મંત્રાલયની સંમતિ પછી વ્યાજદર લાગુ કરવામાં આવે છે. વ્યાજદર નાણાકીય વર્ષના અંતે
નક્કી કરવામાં આવે છે.