ગોપીનાથે કહ્યું કે અમે 2019 માટે વૈશ્વિક વિકાસ 2.9 ટકા અને 2020 માટે 3.3 ટકા અંદાજ્યો છે, જે ઑક્ટોબરના અનુમાન કરતાં 0.1 ટકા ઓછો છે
આંતરરાષ્ટ્રીય નાણાંકીય ફંડ (IMF) ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ખૂબ જ ઘટાડી દીધો છે. નાણાંકીય વર્ષ 2019-20માં ભારતનો જીડીપી દર અંદાજે 4.8 ટકા રહેશે. આઇએમએફે કહ્યું કે ભારત અને તેના જેવા બીજા ઉભરતા દેશોમાં સુસ્તીના લીધે દુનિયાના ગ્રોથ અનુમાનને તેને ઘટાડવા પડ્યા છે. IMFએ દાવોસમાં ચાલી રહેલ વર્લ્ડ ઇકોનોમી (WEF)ની બેઠક દરમ્યાન આ અનુમાનને રજૂ કર્યો.
આ અંગે આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મીડિયા સાથે વત કરતાં કહ્યું કે ગ્લોબલ ગ્રોથના અનુમાનમાં 80ટકાના ઘટાડા માટે ભારત જવાબદાર છે. ગોપીનાથે કહ્યું કે અમે 2019 માટે વૈશ્વિક વિકાસ 2.9 ટકા અને 2020 માટે 3.3 ટકા અંદાજ્યો છે, જે ઑક્ટોબરના અનુમાન કરતાં 0.1 ટકા ઓછો છે. તેનો મોટાભાગનો હિસ્સો ભારત માટે અમારા ડાઉનગ્રેડથી આવે છે જે બંને વર્ષો માટે ખૂબ જ અગત્યનો હતો.
જ્યારે ગીતા ગોપીનાથને પૂછવામાં આવ્યું કે ભારતની આર્થિક મંદીએ વૈશ્વિક પૂર્વાનુમાનોને કેટલી હદ સુધી અસર કરી છે તો તેમણે કહ્યું ‘સરળ ગણતરી કહે છે કે આ 80થી વધુ હશે.’ ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ઘટાડવા અંગે ગોપીનાથે કહ્યું કે ભારતના પહેલાં બે ત્રિમાસિકના અનુમાનોની તુલનામાં આપણે નબળા હતા. તેમણે કહ્યું કે મુખ્યત્વે રીતે નોન-બેન્કિંગ નાણાંકીય ક્ષેત્રમાં નરમાઇ અને ગ્રામીણ ક્ષેત્રની આવકમાં નરમાઇ વૃદ્ધિના લીધે ભારતના આર્થિક વિકાસદરના અનુમાનમાં ઘટાડો કરાયો છે.
કેવી રહેશે જીડીપીની સ્થિતિ
ગોપીનાથે વધુમાં કહ્યું કે 2020 સુધી ભારતીય અર્થતંત્રમાં 5.8 ટકા જીડીપી રહેવાનો અંદાજો છે અને આગળ જતા 2021મા સુધરીને 6.5 ટકા રહી શકે છે. ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે ગોપીનાથે કહ્યું કે અમે ભારતને ઉભરતું જોઇએ છીએ. આવતા નાણાંકીય વર્ષમાં મહત્વપૂર્ણ રિકવરી આવી રહી છે. સરકારની સામે સૌથી મોટો પડકાર એનપીએની સમસ્યાને દૂર કર્યા વગર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ગોપીનાથે એમ પણ કહ્યું કે 2020મા વૈશ્વિક વૃદ્ધિમાં તેજી હજુ ઘણી અનિશ્ચિત બનેલી છે.