કેદીઓનો આરોપ છે કે જેલ તંત્રએ કોરોના રોકવા માટે કંઇ જ નથી કર્યું
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:05:19
લીમા: પેરુની રાજધાની લીમાની
એક જેલમાં કોરોનાને લઇને ડર એટલો વધી ગયો કે કેદીઓ મુક્તિની માગ કરવા લાગ્યા. જેલ
તંત્રએ તેમનું ન સાંભળ્યું તો તેઓ હિંસક દેખાવો કરવા લાગ્યા, જેલ કર્મીઓ સાથે પણ
ઘર્ષણમાં ઉતર્યા. આ ઘર્ષણમાં 3 કેદીના મોત થયા.
કેદીઓના મોતનું કારણ હજુ સુધી
જાણવા મળ્યું નથી: જેલ તંત્ર
કેદીઓનો
આરોપ છે કે જેલ તંત્રએ કોરોના રોકવા માટે કંઇ જ નથી કર્યું. અહીં સોશિયલ
ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરાતું. કેટલાક કેદીઓ અંદરોઅંદર બાખડી પડ્યા. બીજી તરફ
જેલ તંત્રએ કહ્યું કે કેદીઓના મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અમે આ મામલે
તપાસ કરી રહ્યા છીએ. અમે જેલમાં કેદીઓનું હેલ્થ ચેકઅપ પણ શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે પેરુમાં કોરોનાના અંદાજે 29 હજાર કેસ સામે આવ્યા છે.