• Home
  • News
  • પેરુમાં કોરોનાનો ડર, કેદીઓ મુક્તિ માટે હિંસક બન્યા
post

કેદીઓનો આરોપ છે કે જેલ તંત્રએ કોરોના રોકવા માટે કંઇ જ નથી કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:05:19

લીમા‌: પેરુની રાજધાની લીમાની એક જેલમાં કોરોનાને લઇને ડર એટલો વધી ગયો કે કેદીઓ મુક્તિની માગ કરવા લાગ્યા. જેલ તંત્રએ તેમનું ન સાંભળ્યું તો તેઓ હિંસક દેખાવો કરવા લાગ્યા, જેલ કર્મીઓ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા. આ ઘર્ષણમાં 3 કેદીના મોત થયા.

કેદીઓના મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી: જેલ તંત્ર

કેદીઓનો આરોપ છે કે જેલ તંત્રએ કોરોના રોકવા માટે કંઇ જ નથી કર્યું. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી કરાતું. કેટલાક કેદીઓ અંદરોઅંદર બાખડી પડ્યા. બીજી તરફ જેલ તંત્રએ કહ્યું કે કેદીઓના મોતનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. અમે જેલમાં કેદીઓનું હેલ્થ ચેકઅપ પણ શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે પેરુમાં કોરોનાના અંદાજે 29 હજાર કેસ સામે આવ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post