• Home
  • News
  • પ્રેમીથી કંટાળીને પરણિતાએ 7મા માળેથી કૂદીને કરી આત્મહત્યા
post

લોકડાઉન (Lockdown) ના કારણે તેના પતિને નોકરી (Job) ન મળતાં તે કામકાજ માટે ઘરથી બહાર જતો હતો ત્યારે પડોશમાં રહેનાર દિનેશ બારિયા ઘરે આવીને પરણિતા સાથે છેડતી કરતો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 13:34:12

અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) ના એલિસબ્રિજ (Ellisbridge) વિસ્તારમાં સ્થિત ઔડાના મકાનમાં પરણિતાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા (Suicide) કરી હતી. પ્રેમી પરણિતાના ઘરમાં ઘૂસીને લઇ જતો હતો. આ વાતની જાણકારી પિતાને પણ હતી પરંતુ આબરૂ બચાવવા માટે તેમણે ફરિયાદ કરી ન હતી. આ સમગ્ર મામલે પરણિતાના પિતાએ પ્રેમીના કારણે જ તેમની પુત્રીએ આત્મહત્યા (Suicide) કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.  

પરણિતાને 3 વર્ષનો પુત્ર પણ છે. લગ્ન (Marriage) બાદ મહિલા પોતાના પરિવાર સાથે ભિલોડા રહેતી હતી પરંતુ લોકડાઉન (Lockdown) ના કારણે તેના પતિને નોકરી (Job) ન મળતાં તે કામકાજ માટે ઘરથી બહાર જતો હતો ત્યારે પડોશમાં રહેનાર દિનેશ બારિયા ઘરે આવીને પરણિતા સાથે છેડતી કરતો હતો, જે અંગે મહિલાએ માહિતી પતિ અને પિતાને પણ આપી હતી અને દિનેશની હરકતો વધતાં પરિવાર અમદાવાદ રહેવા આવી ગયો હતો.  

અમદાવાદ (Ahmedabad) આવ્યા છતાં દિનેશ અહીં અહીને મહિલાને પરેશાન કરવા લાગ્યો હતો. દિનેશે પરણિતાના ભાઇ તથા પિતાની હત્યા માટે ધમકી આપી હતી જેથી પરેશાન થઇને ભારતીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post