સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન આપવા આદેશ
નવી દિલ્હી :
રામજન્મભૂમિ ન્યાસને વિવાદિત જમીન
શિયા વકફ બોર્ડને ૫ એકર જમીન આપવા આદેશ
નિર્મોહી અખાડા અને શિયા-સુન્ની વકફ બોર્ડના દાવા ફગાવાયા
વિવાદિત જમીન રામજન્મભૂમિ ન્યાસને આપવાનો નિર્ણય
૩ મહિનાની અંદર સરકાર ટ્રસ્ટ બનાવશે
મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા આદેશ
સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા વિવાદ પર ચુકાદો આપવાની
શરૂઆત કરી દીધી છે. ચીફ જસ્ટિસ રજંન ગોગોઈએ ચુકાદો આપ્યો. ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ
સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.
સુનાવણી દરમિયાનની અપડેટેસ
· ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી
મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી
· ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય
સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ.
કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
· સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ
રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા
પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.
· સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન
ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી
અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો.
· ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક
મૂળનું માળખુ નથી, પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના
રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું
છે.
· તોડી પાડવામાં આવેલું માળખુ ભગવાન રામનું
જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માલિકી હકને ધર્મ, આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. આ કોઈ વિવાદ પર નિર્ણય થવાના
સંકેત હોઈ શકે છે.
· મસ્જિદ ખાલી જગ્યામાં નહતી બની
· મંદિર માટે મસ્જિદ તોડાઈ હોવાની સ્પષ્ટ નથી
· ASIએ તેમના રિપોર્ટમાં મંદિરની વાત કરી છે
· સુપ્રીમ કોર્ટે શિયા-સુન્ની બોર્ડની અરજી ફગાવાઈ
· નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવવામાં આવી