• Home
  • News
  • દહેજમાં કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
post

સદનસીબે કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 11:59:24

ભરૂચ: દહેજ જીઆઇડીસીમાં આવેલી ટેગરોસ કેમિકલ કંપનીના પ્લાન્ટ નં-4માં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતા જ કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં જ સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. 

adv

Related News

post
post
post
post
post
post
post