સદનસીબે કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 11:59:24
ભરૂચ: દહેજ
જીઆઇડીસીમાં આવેલી ટેગરોસ કેમિકલ કંપનીના પ્લાન્ટ નં-4માં
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ
લાગતા જ કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં જ સમગ્ર
પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10
ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબૂ મેળવવાના
પ્રયાસો હાથ ધર્યાં હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે
સદનસીબે આગની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી.