પિયુષ ગોયલ કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતની પહેલી તેજસ ટ્રેનને લીલીઝંડી આપવા ન આવ્યા, કેવડિયા ગયા
અમદાવાદ: ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે શુક્રવારે મુખ્યમંત્રી
વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને રવાના કરી હતી. તેજસને લીલીઝંડી આપવામાં આવી તે પહેલા વેસ્ટર્ન રેલવે એપ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરતા કાર્યકરોની રેલવે અને સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.
ટ્રેનમાં માંગ
વધશે તો ભાડું વધશે
આઈઆરસીટીસીના અધિકારીના જણાવ્યા અનુસાર ‘તેજસ’ ટ્રેન માટે 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનમાં પેસેન્જરને કોઈપણ પ્રકારના સ્પેશિયલ ક્વોટા કે કન્સેશનનો લાભ નહીં મળે. ફ્લાઈટની જેમ આ ટ્રેનમાં પણ ડાયનેમિક ફેર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આથી માંગ વધારે હશે ત્યારે ભાડું પણ વધતું રહેશે. ટિકિટના દરમાં પેસેન્જરને અપાતા ચા, કોફી, બ્રેકફાસ્ટ અને લંચ કે ડીનરનો સમાવેશ થઈ જાય છે. પેસેન્જર માટે 25 લાખનો અકસ્માત વીમો અને લગેજનો રૂ.1 લાખનો વીમો છે.
તેજસ માટે
અન્ય ટ્રેનોના
ટાઈમમાં ફેરફાર
કરાયા
તેજસ ટ્રેનને સમયસર દોડાવવા અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતી-જતી 33 ટ્રેનના સમયમાં 5 મિનિટથી માંડી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. અન્ય ટ્રેનોના સમયપત્રકમાં થયેલા ફેરફાર મુજબ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ, નવજીવન એક્સપ્રેસ 25 મિનિટ મોડી ઉપડશે. સવારે મુંબઈ તરફ જતી 11 તેમજ મુંબઈથી અમદાવાદ આવતી 16 ટ્રેન અને 4 મેમૂના સમયમાં 5 મિનિટથી 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ ઉપડી બપોરે 1.10એ મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ.250 વળતર ચૂકવવામાં આવશે.
5 વર્ષથી મોટા
બાળકીને પણ આખી ટિકિટ!
વેકેશન અને તહેવારોની બિઝી સિઝનમાં ઓફ સિઝનની સરખામણીએ ટ્રેનનું ભાડું પણ વધુ રહેશે. જો કે, ટ્રેનમાં વીઆઈપી ક્વોટાથી માંડી કોઈપણ કન્સેશન અપાશે નહીં. એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું રૂ.2400, ચેરકારનું ભાડું રૂ.1300થી શરૂ થશે. 5 વર્ષથી મોટા બાળકની પણ આખી ટિકિટ થશે. એક્ઝિક્યુટિવ
ચેરકારમાં દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન છે.
પાસધારકોને મુશ્કેલી
પડશે
અમદાવાદથી સવારે 6.35 વાગે ઉપડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સૌથી વધુ નોકરિયાત વર્ગ નડિયાદ, આણંદ વડોદરા કે અન્ય શહેરોમાં જાય છે. હવે આ ટ્રેન 55 મિનિટ મોડી ઉપડશે. જેથી સૌથી વધુ પાસ ધારકોને હાલાકી પડે તેવી શક્યતા છે.
આ ટ્રેનોના
સમયમાં ફેરફાર
કરવામાં આવ્યો
‘તેજસ’ ટ્રેન માટે અમદાવાદ આવતી અને જતી આ ટ્રેનોના સમયમાં 5થી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 મેમૂ ટ્રેનનો સમય પણ બદલવામાં આવ્યો છે.
ઉદ્ઘાટનને લીધે
સ્ટેશનનો કોન્કોર
એરિયા, પ્લેટફોર્મ નં.1 આજે બંધ
‘તેજસ’ના ઉદ્ઘાટન માટે અમદાવાદ સ્ટેશનના કોન્કોર એરિયામાં સ્ટેજ બનાવાઈ રહ્યું છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી
અને રેલવે મંત્રી આવવાના હોવાથી શુક્રવારે સવારથી કોન્કોર એરિયાની સાથે પ્લેટફોર્મ નંબર 1 પણ પ્રવાસીઓની અવરજવર માટે બંધ રખાશે. જેના કારણે પ્લેટફોર્મ નંબર 2થી આગળ જતા કે આવતા પ્રવાસીઓ ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરી શકશે. સવારના સમયે પ્લેટફોર્મ નંબર 1 પર આવતી જબલપુર-સોમનાથ સહિત અન્ય ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ખસેડાશે.
પોરબંદર - મુંબઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
અમદાવાદ - ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ
ભૂજ - દાદર એક્સપ્રેસ
હિસાર - સિકંદરાબાદ એક્સપ્રેસ
જોધપુર - ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસ
શ્રી ગંગાનગર - નાંદેડ એક્સપ્રેસ
ઉદયપુર - બાંદ્રા એક્સપ્રેસ
ઉદયપુર - મૈસૂર એક્સપ્રેસ
જયપુર - બાંદ્રા એક્સપ્રેસ
પશ્ચિમ એક્સપ્રેસ