હાલોલ નજીકથી માચી થઈને પાવાગઢ જવા માટે સર્પાકાર રસ્તો બનાવાયો છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 10:04:06
પાવાગઢ: પાવાગઢ ખાતે બિરાજતા
મહાકાળી માનો મહિમા અપરંપાર છે. શ્રદ્ધાળુઓ વારંવાર દર્શને જતા હોય છે. હાલોલ
નજીકથી માચી થઈને પાવાગઢ જવા માટે સર્પાકાર રસ્તો બનાવાયો છે. હાલમાં ચોમાસાને
કારણે વરસાદ થઈ ગયા પછી આજુબાજુની વનરાજી પણ ફૂલબહારમાં ખીલી ઊઠી છે. હરિયાળી
વચ્ચે સર્પાકાર રસ્તો જાણે કોઈ અજગર બેઠો હોય તેવો આભાસ ઊભો કરે છે. ચાલુ વર્ષે
નવરાત્રી યોજાવા અંગે અનિશ્ચિતતા હોવાથી પાવાગઢ ખાતે દર્શન કરવા જનારા
શ્રદ્ધાળુઓને પણ તકલીફ પડે તેમ મનાય છે.