• Home
  • News
  • સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત;મહારાષ્ટ્રમાં 85 અને ગુજરાતમાં 22 મોત થયા
post

ગુરુવારે ઉત્તર પ્રદેશમાં 15, દિલ્હીમાં 13 અને તમિલનાડુમાં 12 લોકોના મોત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 09:52:14

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસને લીધે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે 150થી વધારે દર્દીના મોત થયા છે. ગુરુવારે 176 દર્દીના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 1982 દર્દીના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 960 દર્દીના મોત થયા છે.

બુધવારે 188 લોકોના મૃત્યુ થયું હતું. એક દિવસમાં આ સૌથી મોટો આંક હતો.

ગુરુવારે મહારાષ્ટ્રમાં 85, ગુજરાતમાં 22 અને દિલ્હીમાં 13 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત ગુરુવારે ઉત્તર પ્રદેશમાં 15, દિલ્હીમાં 13, તમિલનાડુમાં 12, મધ્ય પ્રદેશમાં 8, રાજસ્થાનમાં 7, પશ્ચિમ બંગાળમાં 6, તેલંગાણામાં 4, હરિયાણા, કેરળ,જમ્મુ-કાશ્મીર તથા આંધ્ર પ્રદેશમાં 1-1 દર્દીના મોત થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post