મોડી રાતે હૃદયમાં દુઃખાવાની કર્યા બાદ પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરત : સુરતમાં પિતાવિહોણી દીકરીઓના
લગ્ન કરાવનાર સમાજસેવી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુઃખાવાની
ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યારબાદ વધુ પડતો હ્રદયમાં દુઃખાવો
છતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેમને એટેક
આવ્યા હોવાનું કહ્યું હતું. હાર્ટ એટેક આવતાની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને
સારવાર આપવામાં આવી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને
શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જો કે ડોક્ટરોના કહેવા મુજબ હાલ
તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
AAP થોડા
સમય પહેલા છોડેલી
સમાજસેવી મહેશ સવાણી રાજકીય પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય
કર્યો હતો. ફરીથી તેઓ સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા હતા. પિતા વિહોણી દીકરીઓના
લગ્ન કરાવવા માટે તેમણે ખૂબ જ મોટું કામ કર્યું છે. જેના થકી સમાજમાં તેમની એક
સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી થઈ હતી.
પરિવાર ચિંતામા મૂકાયું
મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા
હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે.
ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે
ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો
હાશકારો જોવા મળી રહ્યો છે.
ICUમાં શિફ્ટ કરાયા
વિપુલ તળાવીયા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે, લગભગ છેલ્લા 2 દિવસથી એમને તબિયતને
લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈ અગાઉથી જ તેમની પત્નીને પણ જાણ
કરી હતી કે, મને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે.તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ
કરાવ્યાં હતા. તો બપોરે સુગર હાઈ આવ્યા બાદ એમને સાંજના પી. પી. સવાણી હોસ્પિટલ
સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા.ત્યાં કાર્ડિયોલોજીસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા
તેઓનું નિદાન થતા પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર
હોઈ તેમને હ્રદયના એટેક હોઈ એવી જાણ થતાં જ તેઓને તુરંત એડમિટ કરીને એ સંદર્ભે
વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેઓની એન્જીયોપ્લાસ્ટી કરીને મોડીરાત્રે તેમને
ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.