• Home
  • News
  • AMCના પૂર્વ કમિશનર નેહરાનો ભાજપના નેતાઓને કવિતાથી જવાબ, વરદાન માંગુગા નહિં કવિતા ટ્વીટ કરી
post

વિજય નેહરાએ 19 મેના રોજ કમિશનર અને ગ્રામ વિકાસના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:59:18

અમદાવાદ: ગુજરાત કેડરના IAS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નેહરાની બદલી મામલે તેમજ મીડિયા સામે ગુજરાત ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર અભિયાન ચલાવ્યું હતું. જેમાં વિજય નહેરાએ આજે ટ્વીટ મારફતે તેનો જવાબ આપ્યો છે. નહેરાએ શિવમંગલસિંહની એક કવિતા વરદાન માગુંગા નહિની પંક્તિઓ ટ્વીટ કરી અને વિરોધીઓને જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજય નેહરાએ 19 મેના રોજ કમિશનર અને ગ્રામ વિકાસના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

25મેના રોજ જે રીતે ભાજપના IT CELLના કન્વીનર, સાંસદ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા સહિતના અનેક ભાજપના નેતાઓએ વિજય નહેરાની બદલી અંગે સાચા- જુઠાના દાવા રજૂ કરી અને નહેરા સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહેતા હતા તેમજ 8 લાખના આધાર વગરના આંકડા આપી અને લોકોમાં ડર ઉભો કર્યો હતો જેથી બદલી કરી દેવાઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post