• Home
  • News
  • સોમનાથ મહાદેવના દર્શન માટે આજથી હવે પાસ નહીં લેવો પડે
post

કોરોના હળવો થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમો હળવા કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-11 10:16:49

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને અને સોશ્યલ ડીસ્ટસન જળવાઈ એ માટે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકોને પાસ લેવા ફરજિયાત હતા.

એક વર્ષ અને બે મહિના જેટલો સમયથી પાસ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી પણ હવે દેશ- વિદેશમાંથી આવતા યાત્રિકોને હવે કાઉન્ટરમા ઉભા રહી અને પાસ લેવો પડતો હતો જે હવે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવતીકાલ તા. ૧૧થી સોમનાથ મહાદેવના દર્શન માટે દર્શનાર્થીઓને હવે પાસ નહીં લેવો પડે અને સીધા જ લાઇનમા ઉભા રહી દર્શન કરી શકશે.

વિશ્ચ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ૨૦ જુલાઈ ૨૦૨૦ શ્રાાવણ માસથી દર્શનાર્થીઓને દર્શન પાસ લઇને પ્રવેશ અપાતો હતો. જે હવે કોરોના કાળ હળવો કે મુક્ત થતાં આ દર્શન પાસ પ્રથા ૧૧ ઓક્ટોબરથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

આમ છતાં કોરોના સામેની સાવચેતના પગલાઓ જેવા કે માસ્ક પહેરીને દર્શન કરવું, દર્શન કરી તુરત જ બહાર નીકળી જવું, સેનેટાઇઝીંગ, સ્પ્રે સહિતના પગલાંઓ સાવચેતીના ભાગરૂપે ચાલુ રહેશે.

adv

Related News

post
post
post
post
post
post
post