ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોને લઇને ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ ઘટનાના 17 વર્ષ બાદ રાજ્ય સરકાર બુધવારે વિધાનસભા ગૃહના જાહેર કરાયો છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 11:41:53
ગાંધીનગર: ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોને
લઇને ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ ઘટનાના 17 વર્ષ બાદ રાજ્ય
સરકાર બુધવારે વિધાનસભા ગૃહના જાહેર કરાયો છે. આજે કેગનો રિપોર્ટ પણ જાહેર કરાયો
હતો. ગોધરાકાંડનો રિપોર્ટ ગૃહરાજ્યમંત્રી અને કેગનો રિપોર્ટ નીતિન પટેલે રજૂ કર્યો
હતો.
2002માં થયેલી ખેદજનક ઘટનાઓ બાદ સરકારે જસ્ટિસ
નાણાવટી અને જસ્ટિસ શાહના તપાસ પંચની રચના કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ શાહનું
મૃત્યુ થતાં જસ્ટિસ અક્ષય મહેતાને નિયુક્ત કરાયા હતા. નવેમ્બર 2014માં આ અહેવાલ પંચે સરકારને સોંપ્યો
હતો. આ ઉપરાંત ગુજરાત સરકાર કંપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો મહેસૂલી અને
આર્થિક બાબતો પરનો સમીક્ષા અહેવાલ પણ રજૂ થયો છે.