• Home
  • News
  • ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી, ત્રણ બેઠકો માટે હાલમાં જાહેરાત નથી કરાઇ
post

ગુજરાત વિધાનસભાની 4 બેઠકો પર 21 ઓક્ટોબરે પેટાચૂંટણી, ત્રણ બેઠકો માટે હાલમાં જાહેરાત નથી કરાઇ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 13:55:45

ગાંધીનગર : રાજ્યમાં ખાલી પડેલી 7 વિધાનસભા બેઠકોમાંથી 4 બેઠકો પર આગામી 21 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે, 24 ઓક્ટોબરે મતગણતરી થશે, ચૂંટણીપંચે જાહેરાત કરી છે કે અમદાવાદના અમરાઇવાડી, લુણાવાડા, ખેરાલુ અને થરાદમાં 21 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ વિધાનસભા બેઠકો પર હાલમાં પેટાચૂંટણી ની કોઇ જાહેરાત કરાઇ નથી, 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો સાંસદ બનતા વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ હતી, લુણાવાડા બેઠક પરથી રતનસિંહ રાઠોડ ધારાસભ્યમાંથી સાંસદ બન્યાં હતા, અમરાઇવાડી બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ સાંસદ બન્યાં હતા, ખેરાલુમાંથી ભરતસિંહ ડાભી અને થરાદ બેઠક પરથી પરબત પટેલ સાંસદ તરીકે ચૂંટાઇ આવતા વિધાનસભાની  આ જગ્યાઓ ખાલી પડી હતી.

બનાસકાંઠાની થરાદ વિધાનસભાની વાત કરીએ તો અહી ભાજપમાંથી પૂર્વ મંત્રી શંકર ચૌધરીને ટિકીટ મળી શકે છે, સાંસદ પરબત પટેલ તેમના પુત્ર શૈલેષ પટેલ માટે ટિકિટની માંગણી કરી ચુક્યાં છે, ખેરાલુની વાત કરીએ તો અહી સ્વ.પૂર્વ મંત્રી શંકરજી ઓખાજીના પરિવારમાંથી ભાજપ કોઇને ટિકિટ આપી શકે છે, ભાજપમાં પાછા ફરેલા રમિલા દેસાઇને પણ ટિકીટ મળી શકે છે. અમરાઇવાડીની વાત કરીએ તો અહી 30 કરતા વધુ દાવેદારોએ ભાજપમાંથી ટિકીટનો જાતે જ દાવો કર્યો છે, જ્યારે લુણાવાડામાં પણ દાવેદારોની સંખ્યા મોટી છે, સામે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે, તમામ ચારેય બેઠકો પર કોંગ્રેસ પણ દમદાર ઉમેદવારો ઉતારવા તૈયાર છે.

ચૂંટણીપંચે જે 3 બેઠકોની પેટાચૂંટણી જાહેર નથી કરી તેમાં લુણાવાડાની મોરવા હડફ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનૂસુચિત જાતિના પ્રમાણપત્રના કેસમાં ગેરલાયક ઠેરવતા આ બેઠક ખાલી પડી હતી, અરવલ્લીની બાયડ બેઠક પર કોંગ્રેસના ધવલ ઝાલાએ ભાજપનો કેસરીયો ધારણ કરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ, જ્યારે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, જેથી આ ત્રણ બેઠકો ખાલી પડી છે, રાધનપુર બેઠક પર પેટાચૂંટણી ન થતા હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં મંત્રી બનશે કે કેમ તે સવાલ ફરીથી ચર્ચાઇ રહ્યો છે, તે ભાજપમાં મંત્રીપદની શરતે ગયા હોવાનું સામે આવ્યાં બાદ ભાજપના પણ કેટલાક નેતાઓ આ વાતથી નારાજ છે અને તેને મંત્રી ન બનાવવાની અગાઉ પણ અનેક રજૂઆતો થઇ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post